UNSCએ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-17 10:13:09

સંયુક્ત રાષ્ટ્ર પરિષદે સોમવારે એક જાહેરાત કરી છે. જે મુજબ પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને આંતરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક સ્તરે આતંકવાદી તરીકે ઘોષિત કરવાની માગ કરી હતી પરંતુ ચીનની દખલઅંદાજીને કારણે આ ઘોષણા કરવામાં આવી ન હતી. પરંતુ સોમવારે આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.


અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરોનો આતંકવાદી જાહેર   

વિશ્વના અનેક દેશોમાં આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોના મોત થયા છે. સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના નેતા અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરે આતંકવાદ ઘોષિત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી 2023ના રોજ આઈએસઆઈએલ, અલ-કાયદા, અને તેનાથી સંબંધિત વ્યક્તિઓ, જૂથો, અને સંસ્થાઓ પર સુરક્ષા પરિષદ સમિતિએ ઠરાવો 1267 (1999), 1989(2011) અને 2253(2015)એ તે મુજબ મંજૂર કર્યા હતા. સુરક્ષા પરિષદ ઠરાવ 2610(2021)ના ફકરામાં નિર્ધારિત અને અપનાવવામાં આવેલી નીકિમાં સંપત્તિ ફ્રીઝ, મુસાફરી પ્રતિબંધો અને શસ્ત્ર પ્રતિબંધોનો સમાવેશ થાય છે. 


ભારતે પહેલેથી જ આતંકવાદી જાહેર કર્યો હતો 

ઘણા સમય પહેલા જ ભારત અને પાકિસ્તાન પોતાના સ્થાનિક કાયદા હેઠળ મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તેમને વૈશ્વિક આતંકવાદ જાહેર કરી દીધા છે. 26-11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સાળો છે.      



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે