નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના બહિષ્કારમાં જોવા મળી વિપક્ષની એકતા! જાણો કઈ રાજકીય પાર્ટીઓ કાર્યક્રમમાં નહીં થાય સામેલ?


  • Published By :
  • Published Date : 2023-05-24 16:23:07

28 મેના રોજ નવા સંસદભવનનું ઉદ્ધાટન થવાનું છે. ઉદ્ધાટનને લઈ દેશના તમામ સાંસદો અને અગ્રાણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુલ 19 જેટલી પાર્ટીઓએ આ કાર્યક્રમથી અળગા રહેવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકે સહિત અનેક પાર્ટીઓનો સમાવેશ થાય છે.

 

સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવા કોંગ્રેસની માગ!    

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષોને, રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમજ બંને ગૃહના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તેની જાણકારી આપવામાં આવી નથી. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવામાં આવે.

આ પાર્ટીઓએ કરી છે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત!     

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકેએ આ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે અમારી સંસદ ઐતિહાસિક છે. તે હજી સો વર્ષ સુધી ચાલી શકે છે. તેને બનાવવામાં આરએસએસ અને ભાજપનો કોઈ હાથ નથી. નવું ભવન બનાવી શિલા લગાવવામાં આવશે કે આનું ઉદ્ધાટન પીએમ મોદીએ કર્યું છે. તેના માટે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.