સંસદની બહાર વિપક્ષી સાંસદોની જોવા મળી એકતા! સાંસદો આખી રાત સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે બેઠા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 10:55:59

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં દેશના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ ચાલી રહેલા ચોમાસા સત્રમાં મણિપુરને લઈ હોબાળો થઈ રહ્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થતાં સત્રને સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદમાં મણિપુર હિંસા અંગે ચર્ચા કરવામાં આવે તેવી વિપક્ષોની માગ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની બહાર તેઓ ધરણા કરી રહ્યા છે. સંસદની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી સત્ર હંગામેદાર રહ્યો છે. 

સંસદમાં અનેક વખત મણિપુરનો મુદ્દો ઉઠતા થયો હંગામો 

મણિપુર અંગે પીએમ મોદી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવે તેવી માગ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ વીતી ગયા પરંતુ આ વિશે નથી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી, નથી તો કોઈ કેન્દ્રીય મંત્રીએ પ્રતિક્રિયા આપી. મણિપુરમાં ભડકેલી હિંસા શાંત કરવા કોઈ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સંસદમાં પણ મણિપુરની ચર્ચા શરૂ થતાં જ હોબાળો થઈ જાય છે જેને લઈ કાર્યવાહી સ્થગિત થઈ જતી હોય છે. મણિપુર મુદ્દાને લઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીની ચૂપી પર પ્રશ્ન ઉઠાવે છે. સંસદમાં અમિત શાહે કહ્યું કે મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચા માટે તૈયાર નથી. મહત્વનું છે કે જ્યારે મહિલાનો વીડિયો સામે આવ્યો હતો તે બાદ ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ તેવી વાત કરી હતી. 

આપ સાંસદ સંજયસિંહ સંસદ બહાર કરી રહ્યા છે ધરણા

સંસદના સત્રમાંથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની બહાર સાંસદ ધરણા કરી રહ્યા છે. મણિપુરને લઈ તેમના દ્વારા કહેવામાં આવેલી વાત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે ઉપરાંત કોંગ્રેસ પણ મણિપુરના મુદ્દે આક્રામક દેખાઈ રહી છે. 

કોંગ્રેસે પીએમ મોદીની ચૂપી પર કર્યો કટાક્ષ

પીએમ મોદી ટેલિપ્રોમ્ટરમાંથી જોઈને બોલે છે તેવી ચર્ચાઓ તેવા આક્ષેપો લાગતા રહે છે. ત્યારે પીએમ મોદીના ચૂપી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં ટેલીપ્રોમ્ટર જોઈને બોલે છે. સંસદમાં આ સુવિધા ઉપલબ્ધ નથી કદાચ આ જ કારણોસર પીએમ મોદી સંસદમાં નથી બોલી રહ્યા. પીએમ મોદી જો ઈચ્છે તો સંસદમાં ટેલિપ્રોમ્ટર લગાવડાઈ દો, પરંતુ સંસદમાં મણિપુર અંગે કંઈક બોલો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!