કેન્દ્રીય મંત્રીએ જવાહરલાલ નહેરૂ અને ગાંધીજીના પુત્ર વિશે કરી ટિપ્પણી, નશો કરતા હોવાનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2022-12-15 09:58:37

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમજ મહાત્મા ગાંધી પર અનેક વખત શાબ્દિક પ્રહાર થતા રહે છે. કોઈને કોઈ નેતાનો વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હમેશાં નશાબંધી તેમજ દારૂબંધીની વાતો કરનાર કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા. તેમજ મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો.

  

જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા - કૌશલ કિશોર

દેશમાં નશાને કારણે અનેક લોકોના મોત થાય છે. યુવા પેઢી નશાની લતમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકો નશાથી દૂર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ભરતપૂરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું. કૌશલ કિશોર હંમેશા નશા બંધીની વાતો કરતા નજરે પડે છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે જવાહરલા નહેરૂ નશો કરતા હતા, સિગરેટ પીતા હતા. અને મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો, જો આપ વાંચશો તો ખબર પડશે. નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો છે. જે રીતે ઝેરની દુકાન નથી હોતી તે રીતે નશાની પણ દુકાન ન હોવી જોઈએ. 


નશાથી થતા નુકસાનથી લોકોને જાગૃત કરવા જરૂરી 

અનેક લોકો નશાની લતમાં ફસાઈ જતા હોય છે. કોઈ સિગારેટની લતમાં તો કોઈ દારૂનો નશો કરે છે. નશાને કારણે યુવાપેઢી બરબાદ થતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નશાને કારણે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે નશાને કારણે કોઈનો પરિવાર વિખેરાઈ ન જાય તે માટે આ દિશામાં પગલું લેવું જોઈએ.    




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.