ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે લીધો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-01 17:17:58

થોડા સમય બાદ ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ણય કર્યો છે જે અંતર્ગત મંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાની રહેવાસીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે નોટિફિશેન બહાર પાડી જણાવ્યું હતું કે લોકોએ નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

કેન્દ્રીય ગૃહમંત્રાલયે વિઝાની મુદત 30મી સપ્ટેમ્બર સુધી વધારી

ગુજરાત માટે ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે જે અંતર્ગત ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.