ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે લીધો મોટો નિર્ણય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 17:17:58

થોડા સમય બાદ ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ણય કર્યો છે જે અંતર્ગત મંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાની રહેવાસીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે નોટિફિશેન બહાર પાડી જણાવ્યું હતું કે લોકોએ નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

કેન્દ્રીય ગૃહમંત્રાલયે વિઝાની મુદત 30મી સપ્ટેમ્બર સુધી વધારી

ગુજરાત માટે ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે જે અંતર્ગત ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવનારા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.