કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-23 09:21:17

વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. વધતા કોરોના સંક્રમણને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જે બાદ આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે.


રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે યોજશે બેઠક

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. અનેક પરિવારે કોરોનાને કારણે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વધતા કોરોના કેસને જોઈ ભારત સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ બેઠકો કરવામાં આવી રહી છે. આજે મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. સંસદમાં પણ કોરોનાને લઈ મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના અંગેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 


પીએમ મોદીએ પણ કરી હતી ઉચ્ચ સ્તરીય બેઠક

કોરોનાની અસર સંસદમાં પણ જોવા મળી હતી. સાંસદોને પણ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી છે. ઉપરાંત સ્પીકર,પીએમ મોદી સહિતના અનેક સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત પીએમ મોદીએ પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.