કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-23 09:21:17

વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. વધતા કોરોના સંક્રમણને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જે બાદ આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે.


રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે યોજશે બેઠક

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. અનેક પરિવારે કોરોનાને કારણે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વધતા કોરોના કેસને જોઈ ભારત સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ બેઠકો કરવામાં આવી રહી છે. આજે મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. સંસદમાં પણ કોરોનાને લઈ મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના અંગેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 


પીએમ મોદીએ પણ કરી હતી ઉચ્ચ સ્તરીય બેઠક

કોરોનાની અસર સંસદમાં પણ જોવા મળી હતી. સાંસદોને પણ માસ્ક પહેરીને આવવાની અપીલ કરી છે. ઉપરાંત સ્પીકર,પીએમ મોદી સહિતના અનેક સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરીને આવ્યા હતા. ઉપરાંત પીએમ મોદીએ પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.