Brazilમાં બની પ્લેનક્રેશની દુર્ઘટના, આટલા લોકોના થયા મોત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-10 15:24:38

કહેવાય છે કે દુર્ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે. અનેક વખત સામેવાળાની ભૂલને કારણે બીજા લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આપણે અનેક ટ્રેન અકસ્માત, રોડ અકસ્માત જોયા છે જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. અનેક ટ્રેન દુર્ઘટનાઓ સર્જાતી આપણે જોઈ હશે, ત્યારે આજે વાત પ્લેન દુર્ઘટનાની કરવી છે. બ્રાઝીલમાં પ્લેન ક્રેશ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે 61 લોકોના મોત થઈ ગયા છે તેવી વાત ત્યાના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી છે. 

આ પ્લેન ક્રેશમાં આટલા લોકોના મોત! 

9 ઓગસ્ટે બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. પ્લેન ક્રેશ થયું અને 57 મુસાફરોના મોત થયા છે જ્યારે 4 ક્રૂ મેમ્બરના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેન ક્રેશ સાઓ પાઉલો શહેર પાસે બની.. આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે પ્લેન કંટ્રોલ બહાર જતું રહ્યું હોય.. ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી તરત જ નીચે પડી ગયું.. આ દુર્ઘટના કયા કારણોસર બની તે જાણી શકાયું નથી.. 



ઘટના સર્જાયા બાદ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી 

મળતી માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે તે પ્લેન હતું PS-VPB, ATR 72-500 છે. આ પ્લેનની ક્ષમતા કુલ 74 લોકો બેસાડી શકે એવી છે. જોકે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 61 લોકો હતા. મહત્વનું છે કે આ ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી ચાલું થઈ ગઈ હતી.          



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.