રખડતા ઢોરનો ત્રાસ યથાવત! રખડતી ગાયો અને આખલા લોકોને કચડી નાખે એમાં માત્ર તંત્ર કે માલધારીઓ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-03-20 16:11:43

અનેક વખત રખડતા ઢોરને લઈ અમે સમાચાર લખીએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિ વધી રહ્યો છે. રોજે રખડતા ઢોર કોઈ વ્યક્તિને અડફેટે લે છે અને તે મોતને ભેટે છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આ વાત તમને સામાન્ય લાગતી હશે કે આમાં શું? પરંતુ જે પરિવારજનોએ પોતાના સભ્યને આવી રીતે ગુમાવ્યા હોય તે જ પીડાને સમજી શકશે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી ગયો છે. ધોળકાથી સમાચાર આવ્યા કે આખલાએ એક માણસને ગંભીર રીતે અડફેટે લઈ લીધા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું નિધન થઈ ગયું. 

આખલાની અડફેટે આવતા ગયો એક વ્યક્તિનો જીવ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર એકબીજા સાથે ઝઘડતા હોય પરંતુ અચાનક તે કોઈ વ્યક્તિ પર હુમલો કરી દે છે અને તે ઈજાગ્રસ્ત થઈ જાય છે. ત્યારે આવી જ એક ઘટના ધોળકાથી સામે આવી. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે વ્યક્તિ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે ડાહ્માભાઈ છે અને તેમના દીકરા જીવણભાઈ અમારી ઓફિસમાં કામ કરે છે. આ ઘટના કેવી રીતે બની તેની જાણ થઈ ત્યારે તે એકદમ ભયાનક હતી અને ચોંકાવનારી હતી. જ્યારે આખલાએ ડાહ્યાભાઈને અડફેટે લીધા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 


કોઈએ આ ઘટનાની જવાબદારી સ્વીકારવી પડશે!

ફૂટેજમાં દેખાતું હતું કે ડાહ્યાભાઈ રસ્તા પર જઈ રહ્યા હતા અને અચાનક ત્યાં આખલા આવી ગયા. બે આંખલા ઝઘડતા ઝઘડતા ત્યાં આવ્યા એ તો આખલાથી ઘણા દૂર હતા પણ આંખલા આવ્યા અને એમને કચડી નાખ્યા. દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે આવી જ ઘટના ફરી એ જ જગ્યા પર, એ જ ગામના બીજા વ્યક્તિ સાથે બની! આંખલાએ બીજા વ્યક્તિને પણ કચડી નાખ્યા અને એ જ રીતે તેમનું પણ મોત થયું. આ ઘટના છે હેદલપુરની છે. બીજી ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું તે એકદમ યુવાન હતો. આવી ઘટના જો એક બે વખત થાય તો સમજ્યા પરંતુ અવાર-નવાર આવી ઘટનાઓ બને તો સવાલ થાય. સતત આવી ઘટનાઓ સામે આવે છતાં એક પણ પક્ષ જવાબદારી ન સ્વીકારે કોઈનું પેટનું પાણી પણ ન હલે, ના માલધારીમાને, ના તંત્ર. 


મૃતકના પરિવારનું કોણ સાંભળશે?

જ્યારે કડક કાર્યવાહીની વાત આવે ત્યારે મલધારીઓ દાદાગીરી કરે અને બીજી બાજુ એ લોકો જ્યારે પ્રશ્ન પૂછે કે અમને ઓપ્શનમાં શું આપો છો? અમારે આ પશુ ક્યાં રાખવા ત્યારે પણ કોઈ પાસે જવાબ ના હોય તો એક વાત યાદ રાખવાની કે આ બહું ભયાનક પરિસ્થિતી છે. આ ખાલી વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોનો પ્રશ્ન નથી. સરકાર જ્યારે એક પશુ નિયંત્રણ ધારો લાવે છે ત્યારે જે મલધારીઓ એકતા સાથે રસ્તા પર ઉતરે છે એ લોકો જવાબ આપો કે આ બધા જ લોકો જે મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારનું કોણ સાંભળશે? 

આ ઘટનાઓ બની તેની જવાબદારી કોણ લેશે? 

અને એના માટે ખાલી સરકાર કઈ રીતે જવાબદાર હોય? શું નૈતિક રીતે બધાની જવાબદારી નથી? ગૌચરો નથી તો એના માટે સત્તા પક્ષના નેતાઓ કે વિપક્ષના નેતાઓ ક્યા એગ્રેસિવ થઈને બોલ્યા? એટલે જ અમારે તમને અત્યારની પરિસ્થિતિ બતાવી છે. જ્યાં વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં બે દિલસ પહેલા ઢોર પકડવા ગયેલ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં પશુપાલકો ઢોર છોડાવવાનો પ્રયાસ કરે છે. અને પછી દાદાગીરી પર ઉતરે છે. આટલા લોકોના જીવ જાય છે તો એની જવાબદારી કોણ લેશે? સરકાર જવાબ આપે કે આ લોકોના જીવની કિંમત શું?  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.