ઓસ્ટ્રેલિયામાં વધતો ખાલિસ્તાનીઓનો ત્રાસ! બ્રિસબેનમાં આવેલા ભારતીય દૂતાવાસને બળજબરીથી ખાલિસ્તાનીઓએ બંધ કરાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-16 11:04:53

ઓસ્ટ્રેલિયાથી અનેક વખત હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બુધવારે ખાલિસ્તાન સર્મથકોએ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં આવેલા ઈન્ડિયન કોન્સ્યુલેટના મુખ્ય દરવાજાને બળજબરીથી બ્લોક કરી દીધો હતો. મીડિયા રિપોર્ટસના આધારે ખાલિસ્તાન સર્મથકોએ ઝંડા, બેનર તેમજ પોસ્ટર લગાવ્યા હતા.    


ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના પીએમે આપ્યું હતું આશ્વાસન

ખાલિસ્તાનીઓ દ્વારા અનેક હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે તે સિવાય વિવાદસ્પદ સૂત્રો પણ લખવામાં આવે છે. સતત થતા હુમલાને કારણે હિંદુમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. વધતા હુમલાને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે આ અંગે વાત પણ કરી હતી. આસ્ટ્રેલિયાના પીએમે આશ્વાસન આપ્યું હતું. ત્યારે આશ્વાશન આપે થોડો સમય જ વીત્યો છે ત્યારે વધુ એક ઘટના બની છે. 


બળજબરીથી ખાલિસ્તાનીઓએ ગેટ કર્યો બંધ 

બુધવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા ભારતીય દુતાવાસને જબરદસ્તીથી બંધ કરાવી હોય તેવી ઘટના સામે આવી છે. મેન ગેટને બળજબરીથી બંધ કરી દેવાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ખાલિસ્તાન સમર્થકોએ ઝંડા, પોસ્ટર અને બેનરો લગાવી દીધા હતા. કોન્સ્યુલેટમાં જવા માંગતા લોકોને અંદર જવા દેવાયા ન હતા. જેને કારણે કામકાજ પર સીધી અસર પડી હતી.    

  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.