ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ? જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-15 17:01:10

છેલ્લા થોડા દિવસોથી વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે. અનેક જિલ્લાઓ છે જ્યાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે પરંતુ સાર્વિત્રક વરસાદ નથી પડ્યો. પરંતુ આવનાર દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ 18 જુલાઈથી 21 જુલાઈની વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટને પણ વરસાદ ધમરોળી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ 

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે મન મૂકીને ધબધબાટી બોલાવી હતી. અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ ફરીથી એક વખત વરસાદ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 18 જુલાઈની આસપાસ ફરી એક વખત સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતાઓ છે. ધીરે ધીરે વરસાદનું જોર વધશે અને રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી મેઘમહેર જોવા મળશે.   


આ જગ્યાઓ પર આ તારીખે વરસાદની સંભાવના  

આગાહી પ્રમાણે 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ 18થી 21 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા તેમજ પાટણ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, ગીર સોમનાથ, ભાવનગર,રાજકોટમાં પણ મેઘરાજા જોરદાર પધરામણી કરી શકે છે.  


વરસાદી આંકડા કરાયા જાહેર  

વરસાદની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી જુનથી 14 જુલાઈ સુધી ગુજરાતમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે અનુક્રમે 278.8 મિમી, 552.8 મિમી, 270.2 મિમી અને 501.5 મિમી નોંધાયો છે. તે સિવાય અમરેલીમાં 420.4 મિમી, ભાવનગરમાં 302.5 મિમી, ગીર સોમનાથમાં 681.2 મિમી, જામનગરમાં 521.5 મિમી, જૂનાગઢમાં 828 મિમી, બોટાદમાં 415.8 મિમી, દેવભૂમિ દ્વારકામાં 462.7 મિમી, મોરબીમાં 292.6 મિમી, પોરબંદરમાં 477.5 મિમી, રાજકોટમાં 501.5 મિમી, સુરેન્દ્રનગરમાં 274.1 મિમી અને કચ્છમાં 504.9 મિમી વરસાદ વરસ્યો છે. ભરૂચમાં 262.9 મિમી, છોટા ઉદેપુરમાં 294.5 મિમી, દાહોદમાં 187.3 મિમી, ડાંગમાં 681.4 મિમી, ખેડામાં 341.1 મિમી, મહિસાગરમાં 318.8 મિમી, નર્મદામાં 304.2 મિમી, નવસારીમાં 910.1 મિમી, પંચમહાલમાં 278.7 મિમી, તાપીમાં 569 મિમી અને વલસાડમાં 951.7 મિમી વરસાદ નોંધાયો છે. 



અનેક જળાશયો થયા પાણીથી છલોછલ 

મહત્વનું છે સિઝનનો સારો એવો વરસાદ થવાને કારણે જળાશયોની જળસપાટીમાં વધારો થયો છે. અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.  ૧૪ જુલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો એવા છે જેમાં 50 ટકા સુધી પાણી ભરાયા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!