રાજકોટમાં જોવા મળ્યો રખડતા શ્વાનનો આતંક, ઘરની બહાર રમતા બાળકને શ્વાને બનાવ્યો શિકાર


  • Published By :
  • Published Date : 2023-02-25 12:42:12

રખડતા પશુઓ તેમજ કૂતરાનો આતંક સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. પશુઓ તેમજ કૂતરાઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ત્યારે નાના બાળકો કૂતરાનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં રખડતા શ્વાનને કારણે બાળકીનું મોત થયું હતું. જેને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા પશુનો આતંક જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે આ હુમલો થયો હોવાની ઘટના બની છે. શુક્રવારની રાત્રે 8 વાગ્યાની આસપાસ અઢી વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે શ્વાને તેને બચકા ભર્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. 


સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

રાજ્યમાં સતત કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે. માસુમ બાળકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા બાળકીનો જીવ રખડતા શ્વાનના હુમલાને કારણે ગયો હતો ત્યારે રાજકોટમાં પણ રખડતાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઘરની બહાર રસ્તા પર રમી રહેલા અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો અને તેને બચકા ભરી લીધા. બાળકને શ્વાને અનેક બચકા ભર્યા છે, પગ પાસેથી લોહી વહી રહ્યું હતું જેથી તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


શ્વાનના હુમલાની ઘટના સતત વધતા લોકોમાં ડર 

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવાર રાત્રે બની છે. શીતળા માતાના મંદિર પાસે બાળક રમવા ગયો હતો ત્યારે તેની પર શ્વાને હુમલો કરી દીધો હતો. સ્થાનિકોએ મહામેહનતે બાળકને કૂતરાથી બચાવ્યો. આ ઘટનાને લઈ બાળકની માતાએ જણાવ્યું કે સામાન્ય રીતે તેમનું બાળક પોતાના મિત્રો સાથે રમવા જતો હોય છે પરંતુ ગઈ કાલે તે એકલો રમવા ગયો હતો અને ત્યારે તે શ્વાનના હુમલાનો ભોગ બન્યો હતો. બાળક પર હુમલો થયો ત્યારે તેઓ કપડા ધોઈ રહ્યા હતા. આસપાસના લોકોએ જાણ કરી કે તમારા બાળકને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે તેમનું ધ્યાન બાળક તરફ ગયું હતું. રખડતાં પશુઓ અને શ્વાનનો આતંક ઘટાવવા કરોડો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ શ્વાનના આતંક સતત વધી રહ્યો છે. શ્વાનના હુમલા વધવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!