રાજ્યમાં રખડતાં શ્વાનનો ફરી જોવા મળ્યો આતંક! અમરેલીમાં બાળક પર શ્વાનના ટોળાએ કર્યો હુમલો, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:00:35

રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. પહેલા રખડતાં ઢોર રાહદારીઓ માટે મુસીબત બનતા હતા ત્યારે હવે રખડતા શ્વાન મુસીબત બની રહ્યા છે. આપણી સામે એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં શ્વાનને કારણે લોકોના જીવ ગયા છે. ત્યારે આવી જ ઘટના અમરેલીના દામનગરના સીમ વિસ્તારથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન અચાનક પાંચ છ કૂતરાઓનું ટોળું આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. ગંભીર રીતે બાળક ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો. વહાલસોટા બાળકને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


શ્વાનના ટોળાએ કર્યો બાળક પર હુમલો!

રાજ્યમાં રખડતાં શ્વાનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોના જીવ શ્વાનના હુમલાને કારણે જતાં હોય છે. અમરેલીમાં તો સિંહ અને દીપડા દ્વારા થતાં હુમલાઓને કારણે માસુમ લોકોના જીવ જાય છે. ત્યારે માનવ ભક્ષી બની ગયેલા કૂતરાઓએ 3 વર્ષના બાળકનો જીવ લીધો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળક પર એક-બે નહીં પરંતુ પાંચ-છ કૂતરાઓએ હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કરી બાળકને ફાડી ખાધું હતું. કૂતરાઓના ટોળાએ બાળકને ફંગોળી, અનેક જગ્યાઓ પર બચકા ભર્યા હતા. બાળકના માથાના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. નાની ઉંમરે બાળકને ગુમાવી દેતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 



અનેક વખત આવી ઘટનાઓ આવી છે સામે! 

મહત્વનું છે સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં બાળકી પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. તે સિવાય સુરતથી જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં વરરાજાને કૂતરૂ કરડ્યું હતું. વરરાજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે પહેલા ઈડરથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા. બાળકને 85 ટાંકા આવ્યા હતા. વધતા કૂતરાઓના હુમલાને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.