રાજ્યમાં રખડતાં શ્વાનનો ફરી જોવા મળ્યો આતંક! અમરેલીમાં બાળક પર શ્વાનના ટોળાએ કર્યો હુમલો, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:00:35

રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. પહેલા રખડતાં ઢોર રાહદારીઓ માટે મુસીબત બનતા હતા ત્યારે હવે રખડતા શ્વાન મુસીબત બની રહ્યા છે. આપણી સામે એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં શ્વાનને કારણે લોકોના જીવ ગયા છે. ત્યારે આવી જ ઘટના અમરેલીના દામનગરના સીમ વિસ્તારથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન અચાનક પાંચ છ કૂતરાઓનું ટોળું આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. ગંભીર રીતે બાળક ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો. વહાલસોટા બાળકને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


શ્વાનના ટોળાએ કર્યો બાળક પર હુમલો!

રાજ્યમાં રખડતાં શ્વાનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોના જીવ શ્વાનના હુમલાને કારણે જતાં હોય છે. અમરેલીમાં તો સિંહ અને દીપડા દ્વારા થતાં હુમલાઓને કારણે માસુમ લોકોના જીવ જાય છે. ત્યારે માનવ ભક્ષી બની ગયેલા કૂતરાઓએ 3 વર્ષના બાળકનો જીવ લીધો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળક પર એક-બે નહીં પરંતુ પાંચ-છ કૂતરાઓએ હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કરી બાળકને ફાડી ખાધું હતું. કૂતરાઓના ટોળાએ બાળકને ફંગોળી, અનેક જગ્યાઓ પર બચકા ભર્યા હતા. બાળકના માથાના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. નાની ઉંમરે બાળકને ગુમાવી દેતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 



અનેક વખત આવી ઘટનાઓ આવી છે સામે! 

મહત્વનું છે સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં બાળકી પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. તે સિવાય સુરતથી જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં વરરાજાને કૂતરૂ કરડ્યું હતું. વરરાજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે પહેલા ઈડરથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા. બાળકને 85 ટાંકા આવ્યા હતા. વધતા કૂતરાઓના હુમલાને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!