અમદાવાદમાં વધી રહ્યો છે રખડતા શ્વાનનો આતંક


  • Published By :
  • Published Date : 2022-12-19 17:13:27

છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ અનેક મુસીબતનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે  લોકોને હાલાકી ભોગવી પડતી હતી પરંતુ કૂતરાનો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા શ્વાનને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વાન અંગે તંત્રને અનેક ફરિયાદ મળી છે. ડિસેમ્બર મહિનામાં કૂતરાને લઈ હજી સૂધી 235 ફરિયાદો મળી છે.


રખડતા પશુઓને કારણે વધી શહેરીજનોની મુશ્કેલી 

વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ જોવા મળે છે. ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓને કારણે લોકોને તેમજ વાહનચાલકને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પશુઓને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તો અનેક લોકોના મોત પણ થયા છે. રખડતી ગાયની સમસ્ચા તો ત્યાંની ત્યાં રહી પરંતુ રખડતા શ્વાનને કારણે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


રખડતા શ્વાનને લઈ તંત્ર પાસે આવી છે અનેક ફરિયાદ

અનેક લોકોએ રખડતા શ્વાનને લઈ તંત્રને ફરિયાદ કરી છે. રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં 460 જેટલી ફરિયાદો મળી છે. મે મહિનામાં 440 ફરિયાદો મળી છે. જૂનમાં 516 ફરિયાદ નોંધાઈ છે. જૂલાઈમાં 533 ફરિયાદ આવી છે. ઓગસ્ટ મહિનામાં 476 ફરિયાદો આવી છે. સપ્ટેમ્બરમાં તંત્રને 539 ફરિયાદ મળી છે. ઓક્ટોબરમાં 395 ફરિયાદ મળી છે. નવેમ્બર મહિનામાં 492 ફરિયાદો મળી છે. અને ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 235 ફરિયાદો સામે આવી છે.  રખડતા પશુને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે. રખડતા પશુઓનો ત્રાસ તો ઓછો નથી થયો ત્યારે રખતા શ્વાનને કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!