રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, અડફેટે આવતા લોકોએ ગુમાવ્યો પડે છે જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-09 15:47:19

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકોના મોત રખડતા ઢોરની અડફેટે આવી જાય છે અને મોતને ભેટે છે. કોઈ એટલી વાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે કે જીંદગીભર તેમના શરીરમાં ખામી રહી જતી હોય છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકોમાં તેમજ રાહદારીઓને ભોગવવાનો વારો આવે છે. રખડતા ઢોર વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ રાહદારીઓ તેમજ વાહનચાલકો કરી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે આવ્યું છે. રખડતા ઢોરને લઈ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈ હાઈકોર્ટે જવાબ આપ્યો છે. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals


અનેક લોકો પર રખડતા ઢોરે કર્યો હુમલો 

એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી દે તેવો ભય રાહદારીઓને સતાવતો હોય છે. શાંત દેખાતા પશુઓ ગમે ત્યારે ઝઘડી પડે તેનો ડર રહેતો હોય છે. આપણી સામે અનેક એવા વીડિયો આવતા હોય છે જેમાં નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ બનતા હોય છે. ત્યારે આજે જ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છે. આ હુમલાને કારણે દાહોદમાં રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધા છે. તો બીજી જગ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત થયું છે. તે સિવાય રાજકોટથી પણ આવા દશ્યો સામે આવ્યા છે. રસ્તામાં રખડતા પશુની અડફેટે આવતા મહિલાનું મોત થઈ ગયું છે. 

આધેડના મોત બાદ રખડતા ઢોર મામલે મેયરનું મહત્વનું નિવેદન AMC Mayor Important  statement on animals

  માલધારી સમાજ ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતીની


નિર્દોષ લોકોને સહન કરવો પડે છે રખડતા ઢોરનો આતંક 

અમદાવાદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સમસ્યા તો ત્યાં પણ સરખી છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી જતા હોય છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને ભેટતા હોય છ. અમદાવાદના રાણીપના બલોલનગર સુંદરવન ફ્લેટ પાસે આ બનાવ બન્યો છે. રખડતા ઢોરે બાળકને અડફેટે લીધું હતું. બાળકને બચાવવા માટે દાદી વચ્ચે પડ્યા. બાળકીની દાદીને સામાન્ય ઈજા પહોંચી છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા ઢોર દ્વારા કરવામાં આવતો હુમલો નિર્દોષ લોકો માટે પ્રાણઘાતક સાબિત થતો હોય છે. એક જ દિવસમાં રખડતા ઢોરના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે?  

ગુજરાતમાં માલધારીઓ જેના વિરોધમાં રસ્તા પર ઊતર્યા એ 'ઢોર નિયંત્રણ બિલ' શું?  - BBC News ગુજરાતી

કોઠારીયા રોડ, આજી ચોકડી, માર્કેટીંગ યાર્ડ, રૈયાગામ, યુનિ.રોડ પરથી 304 પશુ  પકડાયા - Sanj Samachar



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.