જેતપુરમાં જોવા મળ્યો રખડતા પશુઓનો આતંક, સ્કૂલ રિક્ષા બની આખલાઓનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-05 15:14:11

રખડતા ઢોરનો મુદ્દો દિન- પ્રતિદિન વધી રહ્યો છે. દરરોજ અનેક લોકો રખડતા ઢોરની હડફેટે આવતા હોય છે અને મૃત્યુને અથવા તો ઈજાઓ પામતા હોય છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોને રખડતા ઢોરનો ભોગ મુખ્યત્વે બનતા હોય છે. ત્યારે રાજકોટના જેતપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકોથી ભરેલી રીક્ષા રખડતા ઢોરની હડફેટે આવી ગયા છે. 


નિર્દોષ લોકો બનતા હોય રખડતા ઢોરનો શિકાર 

રાજ્યમાં રખડતા ઢોર દ્વારા અનેક વખત રાહદારીઓ પર તેમજ વાહનચાલકો પર હુમલો કરવામાં  આવતો હોય છે. હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રખડતા ઢોરનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. હાલત એવી થઈ છે કે જ્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓ રસ્તા પરથી પસાર થતા હોય તે દરમિયાન તેઓ જીવના જોખમે રસ્તો પસાર કરતા હોય છે. 


ભાવનગરમાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું થયું મોત 

છેલ્લા ઘણાં સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં રખડતા પશુઓનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે. થોડા દિવસો પહેલા ભાવનગરમાં એક કિસ્સો બન્યો હતો જેમાં મજૂરી કામ કરીને પરત ફરતા દરમિયાન એક મજૂરને પોતાની અડફેટે લઈ લીધા હતા. મુખ્યત્વે ઢોર ગઘડતા હોય તે વખતે આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનામાં ઈજાપામેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટનામાં બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 


વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને લીધી અડફેટે

બીજી એક ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. બાળકોથી ભરેલી રિક્ષાને રખડતા ઢોરે ટક્કર મારી હતી. જેને કારણે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટનાને કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ઉઠી છે. અનેક વખત ઢોર દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વધતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તે માટે કાર્યવાહી  કરવા લોકો માગ કરી રહ્યા છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!