આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટેની આશ્રમશાળાના શિક્ષકોનું થાય છે શોષણ! જાણો વિગતવાર આક્ષેપો વિશે


  • Published By :
  • Published Date : 2023-08-02 14:09:47

જમાવટના દર્શકો અમને અનેક એવા વિષયો પર પત્ર લખીને ધ્યાન દોરે છે જેથી અમને પણ ખબર પડે છે કે ગુજરાતમાં એવા અનેક મુદ્દાઓ છે જેની પર ચર્ચા થવી જોઈએ. હમણા અમારી પાસે એક પત્ર આવ્યો છે કે ગુજરાતમાં આશ્રમ શાળા ચાલે છે તેમાં કામ કરતા કર્મચારી સાથે કેવું શોષણ કરવામાં આવે છે અને કેવી રીતે સરકારનું ધ્યાન ન પડે એવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ભોજન બિલમાં કેવી રીતે તોડ થાય છે, ટેક્સ વગરના બિલો મૂકીને નાણા સંચાલક વાઉચર પર ગ્રાન્ટના નાણાને બેફામ રીતે સગેવગે કરવામાં આવે છે. આશ્રમ શાળા  કેવી રીતે સરકારના ઠરાવોને જ નજરઅંદાજ કરી રહી છે.


બાળકોને સાચવવાનું મળે છે 30 રુપિયા મહેનતાણું!

આમ તો સાર્વત્રિક આશ્રમ શાળામાં તકલીફો ચાલી રહી છે પણ અમારી પાસે દાહોદ, પંચમહાલ વિસ્તારમાંથી ફરિયાદનું લાંબુ લિસ્ટ આવી રહ્યું છે કે કેવી રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાષન ચાલી રહ્યું છે. સૌથી પહેલી તકલીફ તો એ છે જેની માગ આશ્રમશાળાના કર્મચારીઓ કરી રહ્યા છે. જે છે ઓછું મહેનતાણું. બાળકો સાચવવાનું તેમને 30 રૂપિયાનું મહેનતાણું મળે છે. જે ખુબ ઓછું છે. આશ્રમ શાળા રોટેશન મુજબ ચલાવામાં આવે છે જેનો ઠરાવ છે પણ ઠરાવનો અમલ નથી થતો. 

રવિવારે પણ આશ્રમ શાળાના શિક્ષકોને નથી મળતી રજા 

દાહોદ પંચમહાલમાં આશ્રમ શાળાના નિવાસી શિક્ષકો 24 કલાક ફરજ બજાવે છે તો તેમની ફરિયાદ છે કે તેમને રવિવારે પણ રજા નથી મળતી અને રજા મળે તો પગાર કાપવામાં આવે છે. આશ્રમશાળામાં વધારે સુવિધાઓ નથી તેના કારણે બાળકો ત્યાં ભણવા નથી આવતા તો શિક્ષકો પર દબાવ નાખવામાં આવે છે કે જો સંખ્યા ન થાય તો તમારા પગારમાંથી કપાત કરવામાં આવશે. દાહોદ પંચમહાલની આશ્રમશાળાની ફરિયાદ છે કે તેમની શાળાનું એકવાર નિરીક્ષણ કરવામાં આવે. કારણ કે ત્યાં બાથરૂમની પણ સરખી વ્યવસ્થા નથી અને જે છે એમાં પણ ચોમાસામાં માથે ટીંપા પડે છે. તો તપાસ કરીને સુવિધા કરી આપવા વિનંતી કરી છે. 


પોતાના વ્હાલા લોકોને આચાર્ય બનાવી દેવાય છે!

જ્યારે આશ્રમ શાળાના શિક્ષકે આશ્રમશાળા બહાર જવાનું થાય ત્યારે તેમને આચાર્ય પાસેથી રજા માગવાની રહે છે. આવી પરિસ્થિતિમાં આચાર્ય તો રજા આપી દે છે પણ આશ્રમ શાળાનું સંચાલક મંડળ આચાર્યની રજાને ફગાવી દે છે અને રજા મંજૂર કરવામાં નથી આવતી. તો શિક્ષકો પોતાના સમયમાં સારા નરસા પ્રસંગે ક્યાંય સમાજમાં જઈ નથી શકતા. આશ્રમ શાળામાં મોટો પ્રશ્ન એક એ પણ છે કે અનુભવ અને ઉંમર મુજબ આચાર્યની નિમણૂંક કરવામાં આવતી હોય છે પણ તેવી રીતે ત્યાં શિક્ષક બનાવામાં નથી આવતા, પોતાના વ્હાલા લોકોને આચાર્ય બનાવી દેવાય છે અને શિક્ષકો પાસેથી શાળા સિવાયની કામગીરી પણ કરાવામાં આવે છે.


શિક્ષક પાસેથી કરાવામાં આવે છે પર્સનલ કામ!

જે કામગીરી કરાવામાં આવે છે તે માત્ર શાળાની જ નથી હોતી. પરંતુ પોતાના ઘરની કામગીરી પણ શાળા શિક્ષક પાસેથી કરવામાં આવે છે. જેનો પણ શિક્ષકોનો વિરોધ છે કે અમે આશ્રમશાળાની કામગીરી માટે મૂકવામાં આવ્યા છીએ અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવા આવ્યા છીએ. તમે સાહેબ લોકો તમારા ઘરનું કામ અમારી પાસે ન કરાવી શકો. 


સંચાલક મંડળ બાળકો ઉપર વાપરવાની પૂરી ગ્રાન્ટ વાપરતી નથી

હવે થોડી અંદરની વાત પણ કહી દઈએ કે સંચાલક મંડળ બાળકોને ઉપર વાપરવાની પૂરી ગ્રાન્ટ વાપરતી નથી અને પછી ખોટા વાઉચરો મૂકીને ગ્રાન્ટ સગેવેગે કરી નાખે છે અને જેનો ઉપયોગ વિદ્યાર્થી પર થવો જોઈએ તે ગ્રાન્ટનો ઉપયોગ સંચાલક મંડળના લોકો પોતાના ઘરમાં આવતું શાકભાજી લેવા માટે કરી રહ્યા છે. સંચાલક મંડળના લોકો આશ્રમ શાળાના બિનશૈક્ષણિક કર્મચારીને પોતાના ઘરે કામ પણ કરાવે છે. જેમ કે રસોઈ બનાવવી, તેમના બાળકો સાચવવા, તેમના ઘરની સફાઈ કરવી, ખેતરમાં કામ કરવું વગેરે. આ કામમાં બાળકોને પણ જોડવામાં આવે છે જેથી અમુકવાર તેમના અભ્યાસ પર પણ અસર થાય છે. 


ટેક્સ વગરના બિલ કરવામાં આવે છે રજૂ 

આ બધી પરિસ્થિતિમાં સૌથી ગંભીર વાત એ છે કે આશ્રમ શાળામાં ટેક્સ વગરના બિલ મૂકવામાં આવે છે અને વાઉચરો પર ગ્રાન્ટના નાણાને વિદ્યાર્થીઓના શિક્ષણમાં વાપરવાની જગ્યાએ સંચાલક મંડળ બેફામ રીતે ઉપયોગ કરે છે. ટૂંકમાં આશ્રમ શાળાના શિક્ષકોની માગણી છે કે જો આશ્રમ શાળાને સરકારના હસ્તકમાં લઈ લેવામાં આવશે તો સરકારના નાણાનો ગેરકાયદેસર રીતે જે બેફામ બગાડ થઈ રહ્યો છે તેનો ઉપયોગ લોકોની સુખાકારી માટે થઈ શકશે, આ વાત આશ્રમ શાળાના શિક્ષકો અમારી પાસે એટલા માટે લઈને આવ્યા હતા કારણ કે ત્યાં સો બસો રૂપિયાની કટકી નથી થતી. 


જો નિષ્પક્ષ તપાસ થાય તો ભ્રષ્ટાચારની ઘણી વાતો બહાર આવી શકે છે 

રાજ્યના નાણાની કરોડો રૂપિયાની કટકી થઈ રહી છે. જો ઈન્કમ ટેક્સ જેવી એજન્સી આ વિષય પર નિષ્પક્ષ રીતે તપાસ કરે તો ઘણા બધા કાળા નાણાની અને ભ્રષ્ટાચારની વાતો સામે આવી શકે છે. આ તો અમને મળેલી માહિતી હતી પણ આ મામલે વિગતવાર તપાસ થઈ આનો રિપોર્ટ બનાબીને તપાસ થઈ શકે છે જેથી જો ખરેખર ત્યાં કોઈ કરોડો રૂપિયાના કાંડ ચાલતા હોય તો તેને રોકી શકાય. આના પર કામ થશે તો આદિવાસી જિલ્લાના ઘણા ખરા છોકરાઓને શિક્ષણનો ખરો અર્થ છે તે મળી શકશે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!