ગરબા જોવા ગયેલી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર! તાલાલાની આ પ્રાથમિક શાળામાં બનેલો કિસ્સો તમને હચમચાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 14:02:42

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. મા આદ્યશક્તિની આરાધના આ દિવસો દરમિયાન કરવામાં આવતી હોય છે. ગરબાનું આયોજન અનેક જગ્યાઓ પર કરવામાં આવતું હોય છે ત્યારે ગરબા જોવા કેમ વિદ્યાર્થિનીઓ ગઈ તે કહીને એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને માર માર્યો હોય તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગામથી સામે આવ્યો છે. જે કિસ્સો સામે આવ્યો છે તે તાલાલા તાલુકાના ધાવા ગામનો છે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર માર્યો છે. વિદ્યાર્થિનીઓના માતા પિતાએ આ અંગેની ફરિયાદ તાલુકા શિક્ષણ અધિકારીને કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ છે.  

17 વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર 

આપણે ત્યાં શિક્ષકોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષકનું સ્થાન માતા પિતા જેટલું ઉચું હોય છે. અનેક કલાકો સુધી બાળકો શાળામાં રહે છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. શાળામાં આપવામાં આવતી શિક્ષા બાળક સાથે જીવન ભર રહે છે. ત્યારે ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને ઢોર માર માર્યો છે. ધાવા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓને તેના શિક્ષકે માર માર્યો છે કારણ કે તેઓ કહ્યા વગર ગરબી જોવા ગયા હતા. વિદ્યાર્થિનીઓએ ગરબા જોવા માટે એક કલાક વહેલા જવાની પરમિશન શિક્ષક પાસે માગી હતી. એક શિક્ષકે તેમને રજા પણ આપી દીધી હતી. પરંતુ બીજા એક શિક્ષકે કંઈ જાણ્યા વગર તેમને માર માર્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.     



શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ 

વિદ્યાર્થીઓએ માર માર્યા હોવાની વાત પોતાના માતા પિતાને કરી. આ ઘટનાની જાણ વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે. આ અંગે વાલીઓએ પ્રિન્સિપલને પણ જાણકારી આપી હતી. જ્યારે પ્રિન્સિપલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ વાતને ટાળતા રહ્યા. અનેક વખત પૂછવામાં આવ્યું ત્યારે છેલ્લે તેમણે સ્વીકાર્યું કે શિક્ષકે વિદ્યાર્થિનીઓને માર માર્યો છે. એવી જાણકારી મળી કે શાળાના અજિત સોલંકી દ્વારા વિદ્યાર્થિનીઓને માર મરાયો છે. મહત્વનું છે કે શિક્ષકને આવી રીતે મારવાનો હક કોણે આપ્યો તે એક પ્રશ્ન છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!