અમદાવાદવાસીઓની મુશ્કેલી તંત્રએ સાંભળી, કેટલી સુધરશે રસ્તાની હાલત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 17:38:21

વરસાદ વરસવાને કારણે અમદાવાદના રોડ રસ્તાની હાલત અતિ-બિસમાર થઈ ગઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર પડતા ખાડાને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. ખાડા પડવાને કારણે તંત્રની કામગીરી પર લોકોને ખૂબ રોષ વ્યાપી ઉઠ્યો છે. ખરાબ રસ્તાનો વિરોધ અનેક વખત સ્થાનિકોએ કર્યો છે પરંતુ તંત્ર દ્નારા કોઈ પગલા ન લેવાતા લોકોમાં ભારે ગુસ્સો ભરાઈ ગયો છે. ત્યારે હવે તંત્ર જાગૃત થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ઘણા સમય બાદ લોકોની વેદના સમજી રોડ-રસ્તાના સમારકામ માટે નિર્ણય લીધો છે. 30 ઓક્ટોબર પહેલા શહેરના તમામ રસ્તોઓનું સમારકામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. 

Over 10,000 km road damaged in Gujarat


Pothole Dangers - Drivers Beware


કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યું તંત્ર 

રસ્તાની ખરાબ કામગીરીને કારણે વરસાદ થતા જ રોડ રસ્તા પર ખાડાઓ પડી જાય છે. રોડનું ઘોવાણ થાય છે જેને કારણે રસ્તાઓ પર અનેક ખાડાઓ પડી જાય છે. રસ્તા પર ખાડાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાડાને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. વાહનોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રોડ રસ્તાનું સમારકામ જલ્દી પૂર્ણ કરવા એએમસીએ આદેશ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખરાબ રોડ-રસ્તા અંગે ચર્ચા થઈ હતી. 30 આક્ટોબર પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવે, તેવો નિર્ણય કર્યો છે.



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.