મહારાષ્ટ્રમાં શિંદે સરકાર રહેેશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 10:25:29

સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં એકનાથ સિંદેની સરકાર રહેશે કે નહીં તેનો નિર્ણય થવાનો છે. મહારાષ્ટ્રમાં રાજનીતિક સંકટ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવાની છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો સમગ્ર મામલાની વાત કરીએ તો ગયા વર્ષે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો હતો. બગાવત કરીને ભાજપનું સમર્થન લઈ સરકાર બનાવી દીધી હતી. રાજ્યપાલે તેમની સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા પણ હતા.


આ છે આ સમગ્ર મામલાની ટાઈમલાઈન!

સમગ્ર મામલાના ટાઈમલાઈનની વાત કરીએ તો 20 જૂન 2022માં શિવસેનાના 15 ધારાસભ્યો 10 નિર્દળિય વિધાયકોની સાથે પહેલા સુરત ગયા અને પછી ગુવાહટી માટે નીકળી ગયા હતા. 23 જૂન 2022એ એકનાથ સિંદેએ દાવો કર્યો કે તેમની પાસે શિવસેનાના 35 ધારાસભ્યોનું સર્મથન છે અને આ અંગે લેટર બહાર પાડ્યો હતો. 25 જૂન 2022એ ડે. સ્પીકરે 16 બાગી ધારાસભ્યને નોટિસ મોકલી. જેમાં ધારાસભ્યની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ મોકલી હતી.જે બાદ બાગી ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા. 26 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડે. સ્પીકરને નોટિસ મોકલી હતી. બાગી ધારાસભ્યને રાહત મળી હતી. 


સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો! 

જે બાદ 28 જૂન 2022એ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહ્યું. 29 જૂનએ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની ના પાડી દીધી. જે બાદ મુખ્યમંત્રી પદ ઉપરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું હતું. જે બાદ 30 જૂનના રોજ એકનાથ સિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. 3 જૂલાઈના રોજ નવા સ્પીકરે શિંદે ગ્રુપને સદનમાં માન્યતા આપી. બીજા દિવસે શિંદે જૂથએ વિશ્વાસ મત હાસલ કરી લીધો હતો. 3 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી 10 દિવસ સુધી ટાળી દીધી હતી અને તે સમય દરમિયાન એકનાથ શિંદેએ સરકાર બનાવી લીધી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલા અંગે ત્યાં સુધી સુનાવણી નહીં થાય જ્યાં સુધી ચૂંટણી પંચ પોતાનો નિર્ણય નહીં આપે.


આ કેસની સુનાવણી કરાઈ રહી છે પાંચ જજો દ્વારા! 

8 ઓગષ્ટ, 12 ઓગષ્ટ તેમજ 22 ઓગષ્ટના રોજ સુનાવણી ટાળવામાં આવી હતી. 23 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ કેસ સંવિધાન પીઠને ટ્રાન્સફર કર્યો હતો. માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ મામલે સુનવણી હાથ ધરી હતી અને પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.


આ નિર્ણયથી ગરમાઈ શકે છે મહારાષ્ટ્રનું રાજકારણ!

ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોની સદસ્યતાની માન્યતાને પડકરારવામાં આવી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણ પર તેની અસર પડશે. જો પાંચ જજોની બેન્ચ રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરે છે, તો એકનાથ શિંદેની સરકારની કાયદેસરતા પર પણ પોતાનો ચુકાદો આપવો પડશે. આ નિર્ણય સાથે ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ સિંદેના રાજનૈતિક ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!