સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આપ્યા વચગાળાના જામીન, લખીમપુર ખેરી કેસમાં થઈ હતી સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-25 16:45:51

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને રાહત આપી છે. લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો આશિષ મિશ્રા શરતોનું ઉલ્લંઘન કરશે તો કોર્ટ તેમની જમાનત રદ્દ કરી શકે છે.  આ મામલા પર આગામી સુનાવણી 4 માર્ચના રોજ કરવામાં આવશે. ઉપરાંત કોર્ટે હત્યાના આરોપી 4 કિસાનોને પણ જામીન આપવાના આદેશ આપ્યા છે. 

લખીમપુર ખીરી હિંસા કેસ: આશિષ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી જામીન અરજી |  lakhimpur kheri case ashish mishra files bail plea in supreme court

નાયબ મુખ્યમંત્રી લેવાના હતા મુલાકાત 

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.  તે દરમિયાન ખેડૂતો પર ગાડી ચઢાવવામાં આવી હતી. આ ઘટનાનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબર 2021ના રોજ આ ઘટના સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શન ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આ વિસ્તારની મુલાકાત લેવાના હતા. 


શરતોને આધીન મળી જામીન 

અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ બેંચે ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ આશિષ મિશ્રાની અરજીને ફગાવી દીધી હતી. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને અનિશ્ચિત સમય માટે જેલમાં ન રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયા સુધી આશિષ મિશ્રાને શરતોને આધીન જામીન આપી છે. જામીન મળ્યા બાદ એક સપ્તાહ બાદ આશિષ મિશ્રાને ઉત્તરપ્રદેશ છોડવાનું રહેશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.