સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ સર્વે મામલે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-15 14:34:14

મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલા ફેંસવા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે અલ્લાહબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં કૃષ્ણજન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરમાં સર્વેને મંજુરી આપી હતી. હાઈકોર્ટના આ ફેંસલા વિરૂધ્ધ શાહી ઈદગાહ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 


9 જાન્યુઆરીએ થશે સુનાવણી


હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટના ચુકાદા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મામલે અલ્લાહબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો, તે આદેશને શાહી ઈદગાહ મસ્જીદ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમણે માગ કરી હતી કે અલ્લાહબાદ હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપવામાં આવે.  જો  કે સુપ્રીમ કોર્ટે તે અંગે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે  વધુ સુનાવણી કરવા આગામી 9 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..