સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ સર્વે મામલે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-15 14:34:14

મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલા ફેંસવા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે અલ્લાહબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં કૃષ્ણજન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરમાં સર્વેને મંજુરી આપી હતી. હાઈકોર્ટના આ ફેંસલા વિરૂધ્ધ શાહી ઈદગાહ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 


9 જાન્યુઆરીએ થશે સુનાવણી


હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટના ચુકાદા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મામલે અલ્લાહબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો, તે આદેશને શાહી ઈદગાહ મસ્જીદ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમણે માગ કરી હતી કે અલ્લાહબાદ હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપવામાં આવે.  જો  કે સુપ્રીમ કોર્ટે તે અંગે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે  વધુ સુનાવણી કરવા આગામી 9 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.