નવા સંસદ ભવનના ઉદ્ધાટન મામલે નથી બોલવા માગતી સુપ્રીમ કોર્ટ! રાષ્ટ્રપતિ સંસદ ભવનનું ઉદ્ધાટન કરે તેવી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજકર્તાને કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:32:03

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવવું જોઈએ. અરજકર્તાનું કહેવું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે, તેમના હસ્તે ઉદ્ધાટન ન કરાવવું એ બંધારણનું ઉલ્લંઘન કહેવાય. આ અરજીની જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે કહ્યું કે મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં તમને શું રસ છે? આ બાદ અરજદાર એડવોકેટ દ્વારા અરજી પાછી ખેચવામાં આવી હતી.

   


કોર્ટે અરજદારની અરજીને ફગાવી!

સુપ્રીમ કોર્ટમાં જે અરજદારે અરજી દાખલ કરી હતી તે સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને છે. અરજદારનું કહેવું હતું કે ભારત સરકારે ઉદ્ધાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીને ફગાવામાં આવી છે જેને લઈ સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરવા નથી માગતી. અરજકર્તા ઈચ્છે તો તે હાઈકોર્ટ જઈ શકે છે. હાઈકોર્ટ ન જવાને બદલે અરજકર્તાએ અરજી પાછી ખેંચી લીધી છે.  

નેતાઓએ આપ્યું છે નિવેદન! 

મહત્વનું છે 20 જેટલી રાજકીય પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. જ્યારે 25 જેટલી પાર્ટીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે આ મામલે અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે જેમાં અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત જેવા નેતાઓનો સમાવેશ થાય છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!