નોટબંધીના નિર્ણયને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-02 11:43:48

મોદી સરકારે 8 નવેમ્બર 2016માં એકાએક 500 તેમજ 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દીધી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બેંકો બહાર લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ નોટબંધી યોગ્ય છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની સૂનાવણી આજે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. 


નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati

નોટબંધીમાં નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું 

નોટબંધીના નિર્ણયને કારણે મોદી સરકારનો વિરોધ થયો હતો. 500 અને 1000ની ચલણી નોટો એકાએક બંધ થઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બેંકો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે સરકારે કયા આધારે નોટબંધી તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે કરવામાં આવવાની છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રકિયાનું પાલન કરવામાં નથી આવ્યું. 
સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

સુપ્રીમ કોર્ટે આ કેસનો નિર્ણય 7 ડિસેમ્બરથી સુરક્ષિત રાખ્યો હતો

સરકારના નિર્ણયને કારણે દેશમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. 7 ડિસેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે આવતી કાલથી એટલે કે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવશે. આ અંગની સુનાવણી સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરબીઆઈ પાસેથી સરકારના આ નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ આપવાનો નિર્દેશ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ કેસનો ચૂકાદો આપી શકે છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.