નફરત ફેલાવવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાંકી લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 22:24:54

લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાનો દેશના નિર્માણમાં મોટો રોલ રહેલો છે. મીડિયા શાસન પ્રશાસન અને ન્યાય પ્રણાલીમાં જે સારી કે ખરાબ કામગીરી થઈ રહી હોય તે દેશના લોકોને જણાવે છે. જ્યારે લોકોની વાત કોઈ સાંભળતું નથી ત્યારે લોકોનો અવાજ બનીને સરકારના કાન મરોડતી હોય છે. પરંતુ મીડિયાની અંદર વધી રહેલી હેટ સ્પીચ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો કર્યા હતા કે સરકાર કેમ હેટ સ્પીચ રોકવામાં મૂંગી બની રહી છે.


જસ્ટિસ જોસેફે શું નિવેદન આપ્યું?

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે કેન્દ્ર સરકાર સામે ચિંતા વ્યક્ત કરતા ગંભીર નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તમે હેટ સ્પીચ મામલે કેમ ચૂપ છો, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હેટ સ્પીચ મામલે દેશમાં કોઈ કાયદો નથી તો સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ જાહેર કરવો જોઈએ. જસ્ટિસ જોસેફે મૌખિક નિવેદન આપ્યું હતું કે મીડિયામાં એન્કરનો રોલ બહું મહત્વપૂર્ણ હોય છે. હેટ સ્પીચ જે સોશિયલ મીડિયા કે મેઈન સ્ટ્રીમ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી હોય છે. જો કોઈ હેટ સ્પીચ આપવાનું કામ કરે તો એન્કરે તેમને રોકી દેવો જોઈએ. 


હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી થઈ 

જસ્ટિસ જોસેફે જણાવ્યું હતું કે હેટ સ્પીચને રોકવા માટે લીગલ ફ્રેમવર્ક હોવું જોઈએ. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ રિષિકેશ રાયની બંધારણીય બેંચ પાસે હેટ સ્પીચ મામલે 11 જેટલી અરજી આવી છે. હેટ સ્પીચ મામલના રેગ્યુલેટ કરવા માટે અરજીમાં વાત કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે