સુપ્રીમ કોર્ટે કહ્યું બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર જવાબ રજૂ કરે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:02:39

બિલકિસ બાનો કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પણ પોતાનો પક્ષ રાખવા માટે મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.  


કેમ બિલકિસનો કેસ પાછો ઉછળ્યો?

સીપીએમના નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર રુપરેખા વર્મા અને ટીએમસીના નેતા મહુવા મોઈત્રાએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીઠે સમગ્ર મામલે નોટિસ બહાર પાડી હતી અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. 


શું હતો બિલકિસ બાનોનો કેસ?

બિલકિસ બાનો મામલામાં 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 11 દોષિતોને માફી નીતિ હેઠળ જેલ મુક્ત કર્યા હતા. ગુજરાતના કલંક 2002ના ગોધરા કાંડ બાદ 2002માં સાંપ્રદાયિક દંગા ભડક્યા હતા. જેમાં 21 વર્ષના ગર્ભવતી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કારીઓએ 14 વર્ષની સજા પૂરી કરીને ગુજરાત સરકારે આઝાદી દિવસના રોજ આઝાદ કરી દીધા હતા. દંગાઓમાં બિલકિસના પરિવારના સાત લોકોને મારી નાખવામાં આવ્યા હતા જેમાં તેમની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. 


સુપ્રીમ કોર્ટે અગાઉ સમગ્ર કેસ મામલે શું નિર્ણય લીધો હતો?

ટૂંક સમય પહેલા સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને જેલ મુક્ત કરવા કે નહીં તેનો નિર્ણય ગુજરાત સરકાર પર રાખ્યો હતો. ગુજરાત સરકારે 1992ના નિયમો મુજબ તમામ દોષિતોને જેલ મુક્ત કરી દીધા હતા. તમામ આરોપીને 1992ના નિયમો મુજબ સજા થઈ હતી તેમના પર 2014ના નવા નિયમો લાગુ કરવામાં નહોતી આવી.


ગુજરાત સરકારે દોષિતોને આઝાદી દિવસે આઝાદ કરવાના નિર્ણય બાદ દોષિતોનું ઘરે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમુક રાજકીય પક્ષોને છોડીને કોઈ પણ પક્ષે ઉંહ પણ નહોતી કરી. એક મહિલા પર થયેલા બળાત્કાર મામલે જાતિના આધારને જોતા તમામ લોકો ચૂપ છે તે ગંભીર વિષય છે. બળાત્કાર બળાત્કાર હોય છે ચાહે તે કોઈ પણ જાતિના વ્યક્તિ પર થયો હોય, બળાત્કારી બળાત્કારી હોય છે તેનો કોઈ જાતિ-ધર્મ નથી હોતો. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.