ભાવુક થઈ વિદ્યાર્થીઓએ લખ્યો નીતિન ગડકરીને પત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 16:55:39

ખરાબ રસ્તાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. દેશમાં અકસ્માતોની સંખ્યમાં ધરખમ વધારો થયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં યવતમાલ અને અમરાવતી વચ્ચેથી પસાર થતા 34 સ્કુલોના વિદ્યાર્થીઓએ નીતિન ગડકરીને ભાવુક થઈ પત્ર લખી રસ્તાને સુધારવાની માગ કરી છે. પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે જ્યારે અમે આ રસ્તેથી પસાર થઈ છે ત્યારે અમે યમરાજના દરવાજા તરફ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. હંમેશા એવો ડર લાગે છે કે, હવે પછીના અકસ્માતમાં અમારો નંબર હશે.


નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ કરી ભાવૂક અપીલ 

દેશના રસ્તાઓની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. રસ્તાઓ પર દરરોજ ખાડામાં વધારો થતો હોય તેવું લાગે છે. ગામડાઓના રસ્તાઓની હાલતતો અત્યંત નાજૂક થઈ ગઈ છે. પરંતુ ત્રણ રાજ્યોને જોડતો યવતમાલ-અમરાવતી હાઈવે પણ ખાડાઓથી ઘેરાઈ ગયો છે. આ રસ્તા પર અનેક દુર્ઘટના સર્જાતી રહે છે. ખાડાઓને જલ્દી ભરવા માટે નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે. વિદ્યાર્થીઓએ આ રસ્તાને યમરાજનો દ્વાર ગણાવ્યો છે. આ રસ્તો જલ્દીથી સુધારવામાં આવે તેવી તેમની પ્રાર્થના છે.

રાજનીતિ છોડવાનું મન કરે છે કારણ કે... નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલ્યા નીતિન  ગડકરી

રોડની દશા સુધારવા કરાઈ માગ

પ્રતિદિન વધતા અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વધતા ખાડાને કારણે લોકોને અનેક તકલીફો વેઠવાનો વારો આવે છે. ત્યારે સરકાર જલ્દી રોડની દશા સુધારે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.