નાની ઉંંમરે હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત, નવસારીમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીને આવ્યો હાર્ટ એટેક, પરિવારમાં છવાયો શોક


  • Published By :
  • Published Date : 2023-06-26 17:52:52

હાર્ટ એટેકના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે.  કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા આપણે એવું માનતા હતા કે ઉંમરલાયક વ્યક્તિને હાર્ટ અટેક આવે. પરંતુ હવે તે ધારણા ખોટી પડે તેવી છે. નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનો તો ઠીક પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તેમાં તો શાળામાં ભણતી વિદ્યાર્થીની હાર્ટ એટેકનો ભોગ બની છે. નવસારીની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સ્કૂલમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં સુધી પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું.


કોઈ અકસ્માતમાં તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુને પામે છે  

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીમાં એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એેટેક આવવાને કારણે થયું છે. નાની ઉંમરે લોકોના મોત થવાથી તેમના માતા પિતા પર આભ ફાટી પડતું હોય છે. માતા પિતાને સ્વીકારવામાં ઘણો સમય લાગતો હોય છે કે તેમનું સંતાન હવે આ દુનિયામાં નથી રહ્યું.    


ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું થયું મોત

આપણી સામે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 12 ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી જ્યારે સીડીઓ ચઢી રહી હતી તે દરમિયાન તે અચાનક પડી ગઈ હતી. અચાનક ઢળી પડતાં શિક્ષકે નજીકની હોસ્પિટલ તેને લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી હતી. જે વિદ્યાર્થીનીનું મોત થયું છે તેનું નામ તનિષા છે. દીકરીના મોતથી શાળામાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ આ વાતને ધ્યાનમાં લીધી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.