ગુજરાતથી બસ આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું! હવામાન વિભાગે કરી આગાહી કે આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-12 09:58:03

રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બચાવ કામગીરી માટે ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક શહેરોના વાતાવરણમાં પણ પલટો અનુભવાઈ રહ્યો છે તેમજ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

  

15 જૂન સુધી વરસાદની કરવામાં આવી છે આગાહી!

બિપોરજોયને કારણે દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઓ ગાંડાતૂર બની ભયાવક બની રહ્યા છે. અનેક દરિયાઓના વીડિયો પણ સામે આવ્યા છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર 12થી 15 જૂન વચ્ચે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. 15 જૂને સમગ્ર ગુજરાતમાં મેઘવર્ષા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ વાવાઝોડું દ્વારકાથી અંદાજીત 400 કિલોમીટર દૂર છે. 15 જૂનના રોજ તે કચ્છ પહોંચી શકે છે અને જેને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ ત્રણ જિલ્લાઓ સિવાય રાજ્યના અનેક બીજા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

  

આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!

12મી જૂન માટે કરવામાં આવેલી મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  

મંત્રીઓને સોંપાઈ જિલ્લાઓની જવાબદારી!

ગુજરાત સરકાર દ્વારા પણ વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ચક્રવાતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. વાવાઝોડાને ધ્યાનમાં રાખી બંદરો પર સિગ્નલો લગાવી દેવામાં આવ્યા હતા. રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. ચક્રવાત વિનાશકારી સાબિત થઈ શકે છે તેવી ધારણા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, તાપી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!