કુંડળધામ ખાતેથી હટાવાઈ હનુમાનજીની પ્રતિમા, નીલકંઠવર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય તેવી હતી મૂર્તિ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:25:21

હનુમાનજીની મૂર્તિઓને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમા નીચે એવા ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાઈ ગયો હતો. અનેક દિવસો સુધી વિવાદ ચાલ્યો અને અંતે વિવાદીત ભીંતચિત્રોને આજે સવારે હટાવી લેવાયા છે. જ્યારે સાળંગપુરનો આ મામલો ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતભરમાંથી અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેમાં હનુમાનજી સ્વામીનારાયણ ભગવાનની સેવા કરતા હોય. અનેક એવા ફોટા સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ શકે તેવો હતો. ત્યારે કુંડળ ધામમાં પણ મૂકવામાં આવેલી હનુમાનજીની પ્રતિમાને હટાવી લેવામાં આવી છે. 

Image

વિવાદ વધતા સાળંગપુર ખાતેથી હટાવી લેવાયા ભીંતચિત્રો 

ગુજરાતમાં થોડા સમયથી હનુમાનજીની પ્રતિમાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદ એટલો વકર્યો કે અંતે સરકારે આ મામલે ઝંપલાવવું પડ્યું હતું. ગઈકાલે સંતો અને સરકારના પ્રતિનિધીઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને વીએચપી વચ્ચે પણ બેઠક થઈ હતી જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હીતી અને સવાર સૂધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટી પણ ગયા હતા. ત્યારે કુંડળધામમાં રાખેલી મૂર્તિને પણ હટાવી લેવામાં આવી છે.

Controversy in Kundal temple after Salangpur | સ્વામિનારાયણ મંદિરમાં  હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા; હનુમાનભક્તોને વધુ એક  ઠેસ - Divya Bhaskar

પહેલા - 

વિવાદનો અંત આવ્યા બાદ હનુમાનજીની મૂર્તિ હટાવી લેવાઈ

પછી

કુંડળધામમાં હનુમાનજીની રખાયેલી મૂર્તિને પણ હટાવી લેવાઈ 

કુંડળધામમાં જે મૂર્તિ રાખવામાં આવી હતી તેમાં હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરી રહ્યા છે. આ મૂર્તિને લઈને પણ વિવાદ થયો હતો ત્યારે આ વિવાદ સાળંગપુર વિવાદ જેટલો વધારે ઉગ્ર થાય વધારે વધે તે પહેલા મૂર્તિને હટાવી લેવામાં આવી છે. આના અનેક ફોટા વાયરલ થયા હતા અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો . ત્યારે હવે હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.