રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જંત્રી વધારો હાલ પૂરતો રખાયો મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-02-11 11:52:12

તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરો નારાજ થયા હતા. ત્યારે આ નિર્ણયને લઈ રાજ્ય સરકારે પીછેહઠ કરી છે. જે ભાવ વધારો 5મી ફેબ્રુઆરીથી અમલીમાં મૂકાવાનો હતો તેને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આ ભાવ વધારો એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો છે.        


જંત્રી દરનો વધારો થતાં બિલ્ડરોએ નોંધાવ્યો હતો વિરોધ  

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં એકાએક વધારો કરવામાં આવ્યો હતો. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર બહાર પાડી ભાવ વધારા અંગેની જાહેરાત કરી હતી. ભાવ વધારો 5 ફેબ્રુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નિર્ણયને અનેક બેઠકો પણ કરવામાં આવી હતી. ત્યારે આ નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.  


એપ્રિલ મહિનાથી આ નિર્ણય આવશે અમલમાં 

બિલ્ડર એસોશિએશને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. સીએમએ આ મુદ્દાને લઈ વિચાર કરવાની બાંહેધરી આપી હતી. જે બાદ શનિવાર સવારે મુખ્યમંત્રી કાર્યાલયથી એક ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં આનંદ જોવા મળ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.