Chandrayaan-3ના લોન્ચિંગ વખતે જે અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ શાંત થયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:45:14

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. ચંદ્રયાન-3ના લોન્ચિંગ વખતે તેમના અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ હવે શાંત થઈ ગયો છે. વૈજ્ઞાનિક વલારમથીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


ઈસરોના વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકને કારણે થયું મોત   

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો તરફથી ખુશ કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. ભારતવાસીઓને ગર્વ થાય તેવી ક્ષણોનો આપણે અનુભવ કરી ચૂક્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકો સતત ચર્ચામાં આવી રહ્યા છે. એક બાદ એક સારા સમાચારો મળતા હતા પરંતુ ઈસરોથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જે મહિલા વૈજ્ઞાનિકના અવાજમાં આપણે ચંદ્રયાન -3ના લોન્ચિંગ વખતે  કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રવિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તમિલનાડુના અરિયાલુરમાં રહેતા વલારમથીનું નિધન થતા વૈજ્ઞાનિકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય એવો હતો જ્યારે કોરોનાને કારણે લોકોના જીવ ગયા. અનેક પરિવારોએ પોતાના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. પરંતુ કોરોનાની આફ્ટર ઈફેટ્સ પણ લોકો માટે ઘાતક સાબિત થઈ છે. કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છીએ. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ રમત રમતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.