બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ભારતની આ ફિલ્મના ગીતે જીત્યો એવોર્ડ, એવોર્ડ મળતા જ રડી પડી દીપિકા પાદુકોણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 18:28:15

ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં ભારતની ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. 95માં ઓસ્કર એવોર્ડમાં ભારતની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતે એવોર્ડ જીત્યો છે. આ ગીતે બેસ્ટ ઓરિજિનિલ સોંગની કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આરઆરઆર ભારતની પ્રથમ ફિચર ફિલ્મ હતી જેેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને એવોર્ડ પણ જીત્યો છે. આરઆરઆનું નાટુ નાટુ ગીત લખનાર ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ટ્રોફી લીધી હતી.


પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભકામના 

ઓસ્કર મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે અદ્ભૂત, નાટૂ નાટૂ ગીતની લોકપ્રિયતા હવે ગ્લોબલ થઈ ગઈ છે. આ એવું ગીત છે જે આવનાર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.  


આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મળ્યો છે એવોર્ડ 

આરઆરઆર ફિલ્મ સિવાય ધ એલિફન્ટ વ્હિસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે આના નિર્માતા ગુનીત મોંગા છે. ગુનીતની આ બીજી ફિલ્મ છે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2019માં પિરિયડ એન્ડ ઓફ ક્વેઈનને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત પીએમ મોદીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિજેતાને અભિનંદન પાઠવ્યા છે.



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.