વહેલી સવારે સિક્કિમમાં અનુભવાયો ભૂકંપ, લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-13 09:49:38

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થયા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે સિક્કિમમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે આશરે 4.15 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો તેવી જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.


સિક્કિમમાં આવ્યો ધરતીકંપનો આંચકો

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે મોટુ નુકસાન થયું છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે સિક્કિમમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી. તે પહેલા રવિવારે આસામની ધરા ધ્રૂજી હતી. આસામના નાગાંવમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 


ગુજરાતના અનેક શહેરોમાં પણ ધ્રુજી હતી ધરા 

તે સિવાય ગુજરાતના પણ અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સુરત, અમરેલી જેવા જિલ્લાઓમાં ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. આખા સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તે પહેલા અમરેલીના અનેક ગામોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. તુર્કી અને સીરિયામાં ખરાબ થતી પરિસ્થિતિને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.