મહારાષ્ટ્રની રાજનીતિનો શિંદે-ઉદ્ધવ જૂથ આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:46:57

આજે દશેરાનો દિવસ અને અને આ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે મહત્વનો માનવામાં આવે છે. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથની દશેરાની અલગ-અલગ રેલી નીકળી હતી. 56 વર્ષમાં પહેલીવાર શિવસેનાની દશેરાની રેલી અલગ-અલગ નીકળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલી શક્તિ પ્રદર્શનના ભાગરૂપે કાઢવામાં આવી હતી જેથી ખબર પડે કે શિંદે જૂથમાં વધારે જોર છે કે ઉદ્ધવ જૂથમાં. 


ઠાકરે જૂથના ધારાસભ્યો અને સાંસદો શિંદે જૂથમાં જોડાશે

હાલની પરિસ્થિતિમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં 40 ધારાસભ્ય અને 12 સાંસદ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથમાં 15 ધારાસભ્ય અને 6 લોકસભા સાંસદ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ દશેરાની શક્તિ પ્રદર્શન રેલીમાં ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાશે. હવે કેટલા MP-MLA જોડાશે તે જોવાનું રહેશે.


વર્ષ 1966માં બાલા સાહેબ ઠાકરેએ પહેલી રેલી કાઢી હતી

બાલા સાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના શિવસેનાનો પાયો નાખ્યો હતો. 30 ઓક્ટોબરે દશેરાના દિવસે દાદરના શિવાજી પાર્કમાં તેમણે શિવસેનાની પહેલી રેલી કાઢી હતી. પરંતુ એ રેલી હતી અને આજે આ રેલી છે.  






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.