મહારાષ્ટ્રની રાજનીતિનો શિંદે-ઉદ્ધવ જૂથ આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:46:57

આજે દશેરાનો દિવસ અને અને આ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે મહત્વનો માનવામાં આવે છે. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથની દશેરાની અલગ-અલગ રેલી નીકળી હતી. 56 વર્ષમાં પહેલીવાર શિવસેનાની દશેરાની રેલી અલગ-અલગ નીકળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલી શક્તિ પ્રદર્શનના ભાગરૂપે કાઢવામાં આવી હતી જેથી ખબર પડે કે શિંદે જૂથમાં વધારે જોર છે કે ઉદ્ધવ જૂથમાં. 


ઠાકરે જૂથના ધારાસભ્યો અને સાંસદો શિંદે જૂથમાં જોડાશે

હાલની પરિસ્થિતિમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં 40 ધારાસભ્ય અને 12 સાંસદ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથમાં 15 ધારાસભ્ય અને 6 લોકસભા સાંસદ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ દશેરાની શક્તિ પ્રદર્શન રેલીમાં ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાશે. હવે કેટલા MP-MLA જોડાશે તે જોવાનું રહેશે.


વર્ષ 1966માં બાલા સાહેબ ઠાકરેએ પહેલી રેલી કાઢી હતી

બાલા સાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના શિવસેનાનો પાયો નાખ્યો હતો. 30 ઓક્ટોબરે દશેરાના દિવસે દાદરના શિવાજી પાર્કમાં તેમણે શિવસેનાની પહેલી રેલી કાઢી હતી. પરંતુ એ રેલી હતી અને આજે આ રેલી છે.  






આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.