27 વર્ષ બાદ બની રહી છે Border-2ની સિક્વલ, Sunny Deolએ આપી જાણકારી, આ રીતે કરી ફિલ્મની announcement, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-13 13:38:15

સંદેશે આતે હેં, હમે તડપાતે હેં.... આ સોન્ગ તો તમે સાંભળ્યું જ હશે. દેશભક્તિના સોન્ગ જ્યારે યાદ આવે છે ત્યારે આ ગીત મોખરે હોય છે.. આ ગીત જે ફિલ્મનું છે તેની સિક્વલ 27 વર્ષ પછી આવી રહી છે.. જી હા, સની દેઓલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.. આતુરતાથી ફેન્સ આ announcementની રાહ જોઈ રહ્યા હતા.. ત્યારે આજે સની દેઓલ દ્વારા આની જાહેરાત કરાઈ છે જેને કારણે ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે...

27 વર્ષ બાદ આવી રહી છે બોર્ડર ફિલ્મની સિક્વલ 

13 જૂને સની દેઓલની ફિલ્મ બોર્ડરને 27 વર્ષ પૂર્ણ થઈ ગયા છે... 1997માં આ ફિલ્મ આવી હતી અને જનતાનો પ્રેમ આ ફિલ્મને મળ્યો હતો. થોડા સમય પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે ગદ્દર ફિલ્મની સિક્વલ આવશે, તે બાદ ચર્ચા થઈ કે બોર્ડર ફિલ્મની સિક્વલ આવશે અને આજે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. સની દેઓલ દ્વારા announcement કરવામાં આવી છે બોર્ડર 2 ફિલ્મની.. સોશિયલ મીડિયા પર સની દેઓલે એક વીડિયો શેર કરી આની માહિતી આપી હતી.. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા  'બોર્ડર 2'નું નિર્માણ કરવાના છે. જ્યારે  અનુરાગ સિંહ ડિરેક્શનની જવાબદારી સંભાળી રહ્યા છે.. 



વીડિયો શેર કર્યો જેમાં... 

ફિલ્મ મેકર્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સની દેઓલનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે "27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચનને પૂર્ણ કરવા માટે, તે ફરી આવી રહ્યો છે..." બેકગ્રાઉન્ડમાં સોનું નિગમનો અવાજ સંભળાઈ રહ્યો છે જેમાં તે સંદેશે આતે હેં ગીત ગાતા સંભળાઈ રહ્યા છે. આ ફિલ્મની કહાણી શું હશે, સની દેઓલની સાથે કોણ હશે તેની જાણકારી સામે આવી નથી.. ત્યારે આ વિષય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.