દુનિયાના અનેક દેશોમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, કેસ વધતા વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-20 08:38:46

કોરોનાને લઈ વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં તો કોરોના બેકાબુ બન્યો છે પરંતુ બીજા દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. યૂરોપ, જાપાન, સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. જેને કારણે ફરી એક વખત કોરોનાને કારણે હાહાકાર મચી શકે છે.


ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર

વિશ્વભરમાં કોરોનાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તો લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે ભારતમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં કોરોના ઘટી રહ્યો છે પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. 


વિશ્વના અનેક દેશોમાં વધતો કોરોનાનો ખતરો 

યુરોપ, એશિયા સહિતના દેશોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો 18 ડિસેમ્બર સુધીમાં આંકડો 5.1 લાખ પહોંચી ગયો હતો. જાપાનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજ પ્રમાણે એક અઠવાડિયામાં જાપાનમાં મિલિયન જેટલા કેસ દર્જ થયા છે. આ સિવાય બ્રાજીલ, જર્મનીમાં પણ કેસમાં વધારો થયો છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.