નેશનલ ગેમ્સને કારણે આગામી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ જતો રસ્તો બંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:11:17

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન આ ગેમ્સની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી. ગુજરાતના 6 શહેરોમાં નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે પણ અનેક ગેમ્સનું આયોજન કરાયું છે. 

ત્રણ દિવસ માટે કરાયું છે સાયકલ રેસનું આયોજન  

ત્યારે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સાયકલ રેસનું આયોજન કરાયું છે. જેને કારણે ગાંધીનગર જતો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાહેરનામાં પ્રમાણે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચ-0થી ઘ-0 સુધીનો રોડ બંધ રહશે. અને ત્યારબાદ ગાંધીનગરથી સરખેજ તરફનો ખોરજ કન્ટેનર કટ સુધીનો હાઈવે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

Cycle race interesting riddle | Puzzle Fry

નેશનલ ગેમ્સમાં દેશભરથી ખિલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાયકલ રેસ યોજાવાને કારણે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં સાયકલ રેસ યોજાવાની છે ત્યાં ત્યાં રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયકલ રેસને કારણે 7 ઓક્ટાબરથી 9 ઓક્ટોબર સુધી ચ-0થી લઈને ખોરજ કન્ટેનર કટ સુધીનો માર્ગ, ગાંધીનગરથી સરખેજનો એક તરફ જવાનો એક તરફનો માર્ગ બંધ રખાશે. 

ડાયવર્ટ રૂટની કરાઈ વ્યવસ્થા

વાહનચાલકોને અગવડના પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. ચ-0થી શાહપુર સર્કલથી રીલાયન્સ સર્કલ થઈને ખ-0 પર આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરીને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. આવી જ રીતે ઘ-0 બ્રિજની નીચેથી સર્વિસ રોડ પરથી ખ-0 થઈને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. ત્યારબાદ બાલાપીર ચોકડી, ઝુંડાલ થઈને રીંગરોડ થઈને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નીકળી અમદાવાદ પહોંચી શકાશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.