મોરબીની હોસ્પિટલ રંગવાનો આદેશ આપનાર ડોક્ટર પાસેથી જવાબદારી પરત લેવાઈ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:25:17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી ત્યારે મોરબીને અને પુલ તૂટ્યા બાદ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા હતા તેના કારણે મોરબીની હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સમાચાર આવી રહ્યા છે કે રંગરોગાનના આદેશ આપનાર ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 



રંગરોગાનનો આદેશ આપનાર ડોક્ટરનો ચાર્જ છીનવાયો

મોરબીની હોસ્પિટલમાં કલર કરીને શણગારવામાં આવી હતી જેના કારણે લોકો અને વિપક્ષે તમામ કામગીરીને વખોડી પાડી હતી. આ રંગરોગાન કરવાનો આદેશ મોરબી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે અને મંગળવારની સવાર સુધી હોસ્પિટલ શણગારવામાં આવી હતી. આટલા દિવસો બાદ આદેશ કરવામાં આવ્યો છે કે ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે. 


30 ઓક્ટોબર રવિવારના રોજ મોરબી શહેરની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના 130થી વધુ લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટના મોરબી નગરપાલિકા, બ્રિજનું સંચાલન કરતી કંપની, સરકાર સહિત ગુજરાત પર કાળા દાગ સમાન છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.