Gujaratના અનેક વિસ્તારોમાં ફાફડા-જલેબી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય અને ફૂડ વિભાગના દરોડા, આટલા દિવસો બાદ આવે છે રિપોર્ટ!


  • Published By :
  • Published Date : 2023-10-23 16:35:07

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળી સમયે લોકો બહારથી ખાણીપીણીની વસ્તુઓ લાવતા હોય છે. તે પહેલા આવતી કાલે દશેરાનો પર્વ છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ આપણે ત્યાં છે. દશેરાના દિવસે જ્યાં સુધી ફાફડા જલેબી ન ખઈએ ત્યાં સુધી તહેવારની ઉજવણી અધૂરી હોય તેવું લાગે. ત્યારે દશેરા પહેલા અનેક જગ્યાઓ પર આરોગ્ય તેમજ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફાફડા જલેબી બનાવવા વાળી દુકાનો પર ચેકિંગ કરવામાં આવે છે અને ખાદ્યપદાર્થનો નમુનો લેવામાં આવે છે. 

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા | health  department raids ahead of sale of dussehra fafda jalebis in surat


તહેવાર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે ચેકિંગ 

દશેરાની ઉજવણી ફાફડા જલેબી ખાઈને લોકો કરતા હોય છે. દશેરાના દિવસે કરોડોના ફાફડા જલેબી લોકો ખાતા હોય છે. પરંતુ તેહવાર નજીક આવતા અથવા તો તહેવારના દિવસો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોય. ત્યારે દશેરા નજીક આવતા અલગ અલગ જગ્યાઓથી સેમ્પલ લેવામાં આવે છે તે જોવા કે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આરોગ્ય માટે હાનીકારક તો નથી ને. આ વખતે પણ ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા તે સારૂં કહેવાય પરંતુ તેનો રિપોર્ટ તહેવાર પૂર્ણ થયાના અનેક દિવસો બાદ આવશે. 

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા | health  department raids ahead of sale of dussehra fafda jalebis in surat

સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે પાડ્યા ફરસાણની દુકાનો પર દરોડા!

થોડા દિવસો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોરર્પોરેશન દ્વારા ફાફડા-જલેબી બનાવતી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું.સુરત ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અલગ અલગ ટીમો બનાવી ફરસાણ બનાવતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  તે ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવા તહેવારના સમયે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જો રિપોર્ટમાં ફૂડ સેમ્પલ ફેઈલ જાય તો બાદ તે દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.     

Now In Dussehra You Will Have To Eat Fafda-jalebi Expensively, Know How  Much The Price Has Increased? | હવે દશેરામાં ફાફડા-જલેબી ખાવા પડશે મોંઘા,  જાણો ભાવમાં કેટલો ઝીંકાયો વધારો?

ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવે છે ખાદ્યપદાર્થ

 ફાફડા બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે માટે શરીર માટે હાનિકારક નથી તે જાણવા માટે ચેકિંગ કરવામાં આવે છે. જે તેલમાં વારંવાર ફાફડા બનાવવામાં આવે છે તે તેલની ગુણવત્તા કેવી છે તેનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ મશીન દ્વારા તેલનું  ટોટલ  પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવ્યા હતા. મશીન દ્વારા બતાવવામાં આવે છે કે તેલ સારૂ છે કે ખરાબ પરંતુ જલેબી બનાવવામાં વપરાતું ઘી સારી ક્વોલિટીનું છે કે નહીં તે જાણવા લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવું પડે છે. 


અનેક દિવસો બાદ ટેસ્ટિંગ અંગેનો આવે છે રિપોર્ટ 

ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને રિપોર્ટની રાહ જોવાય છે કારણ કે એ રિપોર્ટ અંદાજીત અઠવાડિયા અથવા તો 15 દિવસ બાદ આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જ્યાં સુધી રિપોર્ટ આવે છે ત્યાં સુધી તો ફાફડા જલેબી લોકોએ ખાઈ પણ લીધા હોય છે. મહત્વનું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમે આપવામાં આવેલા પ્રસાદ વખતે પણ આવું જ થયું હતું. લાખો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો તે બાદ રિપોર્ટ આવ્યો જેમાં ઘીના સેમ્પલ ફેઈલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ વખતે આવું જ કંઈ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે...! 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!