દિલ્લીઃ શ્રદ્ધાની હત્યાના દિવસે ખર્ચ મામલે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે થયો હતો ઝઘડો


  • Published By :
  • Published Date : 2022-11-16 22:27:41

દિલ્લીમાં શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ખબર સામે આવી રહી છે કે 18 મે જ્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી ત્યારે બંને વચ્ચે ઘર-સામાનના ખર્ચા મામલે ઝઘડો થયો હતો. રોજ ખર્ચો કોણ આપશે તે મામલે બંને વચ્ચે ઝઘડો વધ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો લાંબો ચાલ્યો અને અંતે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. 

શ્રદ્ધાના ખાતામાંથી આફતાબે ઉઠાવ્યા હતા રૂપિયા

પોલીસના સૂત્રો મારફતે સમાચાર સામે આવી રહ્યા છે કે આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 55 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસ તરફથી માહિતી મળી  છે કે આ જ પૈસાથી આફતાબે ફ્રિજ ખરીદ્યું હતું અને અન્ય વસ્તુઓ ખરીદી હતી. પોલીસને આફતાબના રસોડામાંથી પણ લોહીના ડાઘ મળ્યા હતા. પોલીસે ઘટનાનું રિક્રિયેશન કર્યું એટલે કે કેવી રીતે આફતાબે ઘટનાને અંજામ આપ્યો હતો તે જોયું ત્યારે ફોરેન્સિક તપાસ બાદ રસોડામાં લોહીના ડાઘા મળ્યા હતા. 


આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે પોલીસ 

આવતીકાલે આફતાબને દિલ્લી સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં દિલ્લી  પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે. શ્રદ્ધાના શરીરના 13 ટુકડા મળ્યા હોવાના કારણે ડીએનએ ટેસ્ટ માટે તેમના પિતાની પોલીસને જરૂર પડશે આથી પોલીસ ડીએનએ ટેસ્ટ માટે શ્રદ્ધાના પિતાને દિલ્લી બોલાવી શકે છે. 


આફતાબ અને શ્રદ્ધા બંને દિલ્લીમાં લીવઈન રીલેશનશીપમાં રહેતા હતા. શ્રદ્ધા પિતાની મરજી વિરુદ્ધ આફતાબ સાથે લીવઈનમાં રહેવા આવી હતી. ઘરના ઝઘડામાં 18 મેના રોજ 28 વર્ષના આફતાબે 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરને ઠેકાણે લગાડવા માટે તેના 37 ટુકડા કર્યા હતા. આ ટુકડા રાખવા માટે આફતાબે ફ્રીઝ પણ લીધુ હતું. રાત્રે બે વાગ્યે તે જંગલમાં શ્રદ્ધાના શરીરના ટુકડા નાખવા માટે જતો હતો.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.