ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનો મામલે ગૃહ રાજ્યમંત્રીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:50:47

માજી સૈનિકોના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું . સરકાર દ્વારા સૈનિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ સૈનિકો સાથે બેઠકો કરી કયા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેમ છે અને કયા પ્રશ્નો સમય માંગી લે તેવા છે એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. વધુમાં ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકોની તમામ વ્યવસ્થા પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામા આવી છે.  વધુમાં પૂર્વ સૈનિકો સાથે આજે સાંજે ફરી બેઠક છે અને પૂર્વ સૈનિકો સાથે રાજકારણ કરવું એ હું યોગ્ય નથી માનતો તેમ હર્ષ સંઘવી જણાવ્યું હતું.


"દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છીએ"- હર્ષ સંઘવી 

અને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છે અને તેમની અપેક્ષા કરતાં પણ વધુ 25 જેટલા વિષયો પર સરકાર સમાધાન લાવ્યા છે અને દેશમાં અનેક રાજ્યોમાં હજુ છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં 7માં પગારપંચ પ્રમાણે 9 લાખ કર્મચારીને લાભ મળી રહ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


કોંગ્રેસના આક્ષેપ પર સંઘવીના જવાબ 

બીજી તરફ જગદીશ ઠાકોરના નિવેદન  પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ક્યારેય કાંઈ સારૂં કામ કર્યું નથી. કોંગ્રેસે ભાગલા પાડવા સિવાય બીજુ કાંઇ કામ કર્યું જ નથી. હાલ ચૂંટણી નજીક આવી રહી છે. એટલે કોંગ્રેસના નેતા બોલશે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.