ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનો મામલે ગૃહ રાજ્યમંત્રીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:50:47

માજી સૈનિકોના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું . સરકાર દ્વારા સૈનિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ સૈનિકો સાથે બેઠકો કરી કયા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેમ છે અને કયા પ્રશ્નો સમય માંગી લે તેવા છે એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. વધુમાં ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકોની તમામ વ્યવસ્થા પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામા આવી છે.  વધુમાં પૂર્વ સૈનિકો સાથે આજે સાંજે ફરી બેઠક છે અને પૂર્વ સૈનિકો સાથે રાજકારણ કરવું એ હું યોગ્ય નથી માનતો તેમ હર્ષ સંઘવી જણાવ્યું હતું.


"દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છીએ"- હર્ષ સંઘવી 

અને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર દરેક વિષય પર સરકારી કર્મચારી જોડે છે અને તેમની અપેક્ષા કરતાં પણ વધુ 25 જેટલા વિષયો પર સરકાર સમાધાન લાવ્યા છે અને દેશમાં અનેક રાજ્યોમાં હજુ છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં 7માં પગારપંચ પ્રમાણે 9 લાખ કર્મચારીને લાભ મળી રહ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


કોંગ્રેસના આક્ષેપ પર સંઘવીના જવાબ 

બીજી તરફ જગદીશ ઠાકોરના નિવેદન  પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ક્યારેય કાંઈ સારૂં કામ કર્યું નથી. કોંગ્રેસે ભાગલા પાડવા સિવાય બીજુ કાંઇ કામ કર્યું જ નથી. હાલ ચૂંટણી નજીક આવી રહી છે. એટલે કોંગ્રેસના નેતા બોલશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.