હેં... થોડા દિવસો બાદ વરસાદ ગાયબ થઈ જશે! જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-30 16:42:16

અષાઢ મહિના માટે કહેવાય છે કે અષાઢમાં અનરાધાર. ગુજરાતમાં પણ ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ દરમિયાન અનેક એવા નયનરમ્યો દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ હાલ વરસાદ વરસી રહ્યો છે. બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. પરંતુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આવનાર બેથી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.  

મચ્છુ ડેમના ખોલાયા દરવાજા

ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજાઓને ખોલવામાં આવ્યા છે. શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આજે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ આવનાર દિવસ માટે કરવામાં આવેલી આગાહી તમને ચોંકાવી દેશે. કારણ કે આવનાર દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાદર-2 ડેમના પણ 6 દરવાજા ખોલવામાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.     

હવામાન સમાચાર

આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ તેમજ રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, ખેડા અને આણંદમાં પણ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. જો વરસાદના આંકડાની વાત કરીએ તો જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, તાપીમાં 9.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં ગઈકાલે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ વરસવાને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. નીચે દર્શાવેલા આંકડા બપોર સુધીના છે. 


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.