વરસાદે લીધું ઉગ્ર સ્વરૂપ! રસ્તાઓ પર વહી વરસાદી પાણીની નદી! જુઓ અલગ અલગ રાજ્યોથી આવેલા વરસાદના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 14:13:42

દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. દિલ્હીમાં તો એટલો વરસાદ થઈ ગયો કે 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. એક જ દિવસમાં દિલ્હીમાં 153 મિમી વરસાદ વરસ્યો છે. આવો વરસાદ 1982માં વરસ્યો હતો.

  

દિલ્હીમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ

ગુજરાતમાં તો મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે દેશના બીજા અનેક એવા રાજ્યો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વિનાશકારી સાબિત થયો છે. પહાડી વિસ્તારોમાં તેમજ મેદાનોમાં જળપ્રલય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દેશના અનેક રાજ્યો છે જ્યાં મૂશળાધાર વરસાદ થવાથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર તો પાણી ભરાયા છે પરંતુ ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. દિલ્હીમાં એટલો બદો વરરસાદ વરસ્યો કે અનેક વર્ષોના રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે. 

આ રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદ માટે આગાહી 

ભારેથી અતિભારે વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણી રિતસર રસ્તાઓ પર સુસવાટા ભરી વહી રહ્યું છે. જો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે વાત કરીએ તો આગામી પાંચ દિવસ અનેક રાજ્યો માટે ભારે છે.  પંજાબ, હરિયાણા અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ-મલબાર કોસ્ટ, કેરળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગંગા-પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, તમિલનાડુ માટે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.