વરસાદે ખેડૂતોને રડાવ્યા! પાક નુકસાનીને લઈ ધારાસભ્યોએ લખ્યો પત્ર, સરકાર ક્યારે કરશે સહાય?


  • Published By :
  • Published Date : 2024-10-18 13:48:31

વરસાદની પ્રતિક્ષા જગતના તાતને સૌથી વધારે હોય છે.. પરંતુ તે વરસાદ જ્યારે વધારે આવે તો? ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ થઈ છે... અતિવૃષ્ટિ થવાને કારણે સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે.. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.. જગતના તાતની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સરકાર ક્યારે સહાયની જાહેરાત કરે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.. આ બધા વચ્ચે ખેડૂતો માટે થઈ ભાજપના ધારાસભ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રહ્યા છે. 

ભાજપના ધારાસભ્યોએ લખ્યો પત્ર

ધારાસભ્યને જન પ્રતિનિધી કહેવામાં આવે છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે... સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે... ઉપરાંત લીલો દુષ્કાળ પણ જાહેર કરવામાં આવે તેવો ઉલ્લેખ તેમણે તેમના પત્રમાં કર્યો છે..તે સિવાય ભાજપના જે.વી.કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. મહત્વનું છે કે નવરાત્રીના સમયે પણ આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે..


જગતના તાતનું ક્યારે સાંભળશે સરકાર? 

મહત્વનું છે કે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.. મહેનતથી ઉભો કરેલો પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ભારતનો મોટા ભાગનું અર્થતંત્ર ખેતી પર નભેલું છે.. ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે સરકાર પૈસા આપે છે તે જોવું રહ્યું..        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે