રખડતા ઢોરનો પ્રશ્ન ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્ન બન્યો, પ્રશ્નપત્રમાં મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવાનું કહેવાયું


  • Published By :
  • Published Date : 2023-03-15 09:53:40

રખડતાં ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં રખડતાં ઢોરને લઈ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈંગ્લિશ મીડિયમના પેપરમાં લેટર રાઈટિંગમાં રખડતાં પશુ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કેવી રીતે પત્ર લખી રજૂઆત કરશો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


વિદ્યાર્થીઓ માટે પણ રખડતા ઢોરનો મુદ્દો એક પ્રશ્ન બન્યો    

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ભાષાના પેપરો હતા. ત્યારે ગુજરાતીના પેપરમાં મોબાઈલના લાભાલાભ, હિંદી ભાષામાં ગ્લોબલ વોર્મિગ સહિત અનેક મુદ્દાઓ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પત્ર લેખનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે આજની ગંભીર પરિસ્થિતિને દર્શાવતા હોય તેવો હતો.વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે શહેરમાં રખડતાં ઢોરને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી કેવી રજૂઆત કરશો તેવું પૂછવામાં આવ્યો હતો. 


રખડતા ઢોરને લઈ પત્ર લખવાનો આવ્યો પ્રશ્ન

દિવસેને દિવસે રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. અનેક વખત નિર્દોષ લોકો રખડતાં પશુના હુમલાનો ભોગ બનતા હોય છે. હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ ભભૂક્તો હોય છે. ત્યારે વધતા રખડતા પશુઓના ત્રાસની અસર બોર્ડના પેપરમાં પણ દેખાઈ હતી. પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં રખડતાં પશુઓના ત્રાસને લઈ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખવામાં કહેવામાં આવ્યું હતું, રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિવસેને દિવસે રખડતા પશુનો ત્રાસ પણ જોવા મળતો હોય છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આ રખડતા ઢોરનો મુદ્દો પ્રશ્ન બનીને આવ્યો હતો.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.