જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ યથાવત! સુપ્રીમ કોર્ટમાં આ મામલે હાથ ધરાશે સુનાવણી!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:00:23

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો છેલ્લા અનેક દિવસોથી ધરણા ધરી રહ્યા છે. ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. કુસ્તીબાજો જંતર મંતર ખાતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ધરણા પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક અભિનેતાઓ તેમજ સ્ટાર ખેલાડીઓ આવ્યા છે. કોઈએ સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું છે કે કોઈએ વિરોધમાં નિવેદન આપ્યું છે. 

जंतर-मंतर पर वर्कआउट के बाद नाश्ते की तैयारी करता एक रेसलर।

સાક્ષી મલિક (ડાબે) અને વિનેશ ફોગાટ ગુરુવારે જંતર-મંતર ખાતે કુસ્તીની પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે થશે સુનાવણી!

કુસ્તીબાજોનો વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે. બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા છે. લાંબા સમય બાદ ફરી એક વખત કુસ્તીબાજો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા છે. બજરંગ પુનિયાનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળ્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ આ અંગે નિવદેન આપતા કહ્યું કે એથ્લેટ્સને રસ્તા પર ન્યાયની માગ કરતા જોઈને દુખ થાય છે, તેમને ન્યાય મળવો જોઈએ.


કપિલ દેવે આ મામલે કહ્યું...

સાત મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે બ્રિજભૂષણ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. કેસ ન નોંધાતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જંતર મંતરને જ અખાડો બનાવી દીધો હતો. પ્રેક્ટિસ કરી હતી. કુસ્તીબાજોએ ક્રિકેટ ખેલાડીઓને પણ આ મામલે પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ કેમ શાંત છે. ત્યારે ભારત ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે કહ્યું હતું કે શું આ લોકોને ન્યાય મળશે? 


પી.ટી ઉષાએ પણ આપ્યું હતું નિવેદન!

ઉલ્લેખનિય છે કે પી.ટી ઉષાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ટેકો ન આપ્યો હતો. તેમણે કહ્યું કે પહેલવાનો દ્વારા માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવું તે અશિસ્ત છે. IOAની કાર્યકારી સમિતિની બેઠક બાદ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે માર્ગો પર પહેલવાનોનો વિરોધ ભારતની છબી ખરાબ કરી રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.