નાદારીને આરે આવેલી Go First એરલાઈન્સની વધી મુશ્કેલી! 9 મે સુધી ફ્લાઈટ્સને કરાઈ રદ્દ! યાત્રિઓને પૈસા પરત આપવા DGCAનો આદેશ!


  • Published By :
  • Published Date : 2023-05-04 17:55:05

Go First એરલાઈન્સ નાદારીને આરે આવી ગયું છે. આર્થિક સંકટ હોવાને કારણે પાંચમી તારીખ સુધી તમામ ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે તમામ ફ્લાઈટને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત 15 મે સુદી ટિકિટ બુકિંગ પર પણ રોક લગાવવામાં આવી છે. DGCAએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોને પૈસા રિફન્ડ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

 

9 મે સુધીની તમામ ફ્લાઈટને કરાઈ કેન્સલ!

ગો ફર્સ્ટ એરલાઈન્સની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. નાદારીના આરે આવેલી એરલાઈન્સની મુશ્કેલીનો અંત આવતો દેખાતો નથી. મળતી માહિતી અનુસાર એન્જિન સપ્લાયર દ્વારા એન્જિનની ડિલિવરી ન થવાને કારણે ફ્લાઈટ્સને 9 મે સુધી રદ્દ કરવામાં આવી છે. આની પહેલા કંપનીએ ત્રણ દિવસ માટે ફ્લાઈટને કેન્સલ કરી દીધી હતી. 

 


પેસેન્જરને પૈસા પરત કરવા DGCAનો આદેશ!     

એરલાઈન્સે એનસીએલટીમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી હતી. જેને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોનથી સંબંધિત કેસની સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉપરાંત આ મામલે ડીજીસીએ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈટ રદ્દ થયા બાદ પેસેન્જરોને પૈસા પરત આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રિફન્ડ ઓરિજિનલ પેમેન્ટ મોડમાં કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. મતલબ કે જો પેમેન્ટ કાર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હોય તો કાર્ડ સ્ટેટમેંટમાં રિફન્ડ કરવામાં આવે. જો નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો તે રીતે પેમેન્ટ કરવામાં આવે. નાદારી અંગે GoFirstની અરજી પર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ સુનાવણી કરી હતી. એરલાઈને NCLT પાસેથી વચગાળાના મોરેટોરિયમની માંગ કરી હતી. પરંતુ NCLTએ અરજીની સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 


એરલાઈન્સ છૂટા કરશે પોતાના કર્મચારીઓને!

મળતી માહિતી અનુસાર એરલાઈન્સે નાદારી જાહેર કરતા જ કંપનીએ લગભગ 5000 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. કંપનીના સીઈઓ કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની સંવેદનશીલ છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!