પ્રધાનમંત્રી 15 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:40:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આ સિવાય પ્રધાનમંત્રી જૂનાગઢમાં 580 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. 


પ્રધાનમંત્રી રાજકોટને આપશે ભેટ

ગુજરાતની સમુદ્રી સીમાથી લાગેલા હાઈવેમાં સુધાર કામો અને સડકોની કામગીરી કરવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ યોજનાના પહેલા ચરણમાં 13 જિલ્લામાં 270 કિલોમીટરના હાઈવેની કામગીરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાજકોટમાં 5,860 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 


ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન થશે

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. આ વખતે ડિફેન્સ એક્સપોની થીમ 'ગૌરવપથ' છે. ડિફેન્સ એક્ઝિબિશનમાં એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયન અને દસ રાજ્યોના પેવેલિયન હશે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.