પ્રધાનમંત્રી 15 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:40:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આ સિવાય પ્રધાનમંત્રી જૂનાગઢમાં 580 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. 


પ્રધાનમંત્રી રાજકોટને આપશે ભેટ

ગુજરાતની સમુદ્રી સીમાથી લાગેલા હાઈવેમાં સુધાર કામો અને સડકોની કામગીરી કરવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ યોજનાના પહેલા ચરણમાં 13 જિલ્લામાં 270 કિલોમીટરના હાઈવેની કામગીરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાજકોટમાં 5,860 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 


ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન થશે

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. આ વખતે ડિફેન્સ એક્સપોની થીમ 'ગૌરવપથ' છે. ડિફેન્સ એક્ઝિબિશનમાં એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયન અને દસ રાજ્યોના પેવેલિયન હશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.