આવતી કાલથી વડાપ્રધાન આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:49:39

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.ત્યારે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની મુલાકાતને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરથી માદરે વતન આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ ગુજરાતને અનેક વિકાસની ભેટો આપવાના છે. પ્રવાસના પ્રથમ દિવસે મહેસાણાના મોઢેરા ખાતે 3900 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે. સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો થશે. તે બાદ મોઢેશ્વરી માતાના દર્શન કરશે અને મોઢેરા પાસે સભાને સંબોધવાના છે. 

Modhera Sun Temple Gujarat: History + Architecture + Travel Tips You'll Love

પ્રવાસના બીજા દિવસે ભરૂચ ખાતે બનનારુ જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમૂહુર્ત કરવાના છે. જે બાદ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે જનસભાને સંબોધવાના છે. જે બાદ જામનગર જઈ અનેક વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણામાં જનસભા સંબોધશે તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભાષણ આપશે. 




ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

જ્યારે સહારો જોઈ તો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.

એક મંદિર જ્યાં લાખો-કરોડો ભક્તો દર્શન કરે છે...દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે... જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે... ધર્મસ્થાનોમાં ઇશ્વરની પૂજા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે..