કેવડિયા ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાનને લીધો ભાગ


  • Published By :
  • Published Date : 2022-10-31 11:01:54

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરાયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપવા તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પી હતી.

   

હું એકતા નગરમાં છું, પણ મારું મન મોરબીના પીડિયો સાથે જોડાયેલું છે - પીએમ

સરદાર વલ્લ્ભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવામાં આવે છે. જેને કારણે કેવડિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોરબીમાં બનેલી કરૂણાંતિકાને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમને રદ્દ કરી દેવાયા છે. વડાપ્રધાને માત્ર પરેડમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું કે હું ભલે કેવડિયામાં છું પરંતુ મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે.

 

પીએમએ લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ

પોતાના સંબોધન દરમિયાન તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાયા હતા. વડાપ્રધાને કહ્યું હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને વધારવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને પોતાના દેશવાસી વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઉં છું.                



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.